સંસદની સ્વાસ્થ્ય સંબંધી સમિતિના અધ્યક્ષ રામગોપાલ યાદવે ઓમિક્રોન પર 9 ડિસેમ્બરે બેઠક બોલાવી છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય સચિવ અને DG ICMRને પણ બોલાવવામાં આવ્યા છે.
દેશમાં ઓમિક્રોનથી 21 લોકો સંક્રમિત
ઓમિક્રોન પર સરકાર એલર્ટ
તાબડતોબ સ્વાસ્થ્ય સચિવ સાથે બેઠક
આ બેઠક પણ એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે દેશના અલગ અલગ હિસ્સામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ફેલાઇ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટના પહેલા 2 કેસ કર્ણાટકમાં સામે આવ્યા હતા.
દેશમાં ઓમિક્રોનથી 21 લોકો સંક્રમિત
દેશમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા હતા, જે પછી કુલ સંખ્યા હવે વધીને 21 થઈ ગઈ છે. રવિવારે નોંધાયેલા 17 કેસમાંથી 9 રાજસ્થાનની રાજધાની જયપુરમાં, 7 મહારાષ્ટ્રના પુણે અને એક દિલ્હીમાં નોંધાયા છે. રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગલેરિયાએ જણાવ્યું કે ચેપગ્રસ્ત લોકોના જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે નવ લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે પૂણે જિલ્લામાં સાત લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
Omicron પર સરકાર એલર્ટ
ઓમિક્રોનને કોરોનાનું અત્યાર સુધીનું સૌથી ખતરનાક વેરિઅન્ટ ગણાવવામાં આવી રહ્યું છે, જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હજુ સુધી વિશ્વમાં આ વેરિઅન્ટથી કોઈ મૃત્યુની પુષ્ટિ કરી નથી. એવો દાવો કરવામાં આવે છે કે આ વેરિઅન્ટ કોરોનાના આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે અને તે બાકીના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગઈકાલે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર આ અંગે પહોંચ્યા હતા. જ્યાં તેમણે RT-PCR પરીક્ષણ સુવિધાઓની સમીક્ષા કરી.