પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (Parliamentary standing committee on Information Technology) ફેસબુક (Facebook)ને સમન્સ પાઠવ્યા છે.
સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કથિત દુરૂપયોગ અંગે ફેસબુકને હાજર રહેવા જણાવ્યું છે. આરોપ છે કે ફેસબકે ભાજપના કેટલાક નેતાઓને અભદ્ર ટિપ્પણી કરી હોવા છતાં તેમની ઉપર ભાષાના કડક નિયમો લાગુ કર્યા નથી.
ફેસબુકના પ્રતિનિધિઓ ઉપરાંત સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના પ્રતિનિધિઓને નાગરિકોના હકોનું રક્ષણ કરવા અને સામાજિક / ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટે અને ખાસ કરીને મહિલાઓની ડિજિટલ સ્પેસમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવા માટે 2 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા જણાવ્યું છે.
કોંગ્રેસના નેતાઓ રાજકીય એજન્ડા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે: ભાજપનો આક્ષેપ
માહિતી અને પ્રસારણ મંત્રાલય, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને પ્રસાર ભારતીના પ્રતિનિધિઓને પણ 'મીડિયામાં નૈતિક ધોરણો' અંગે ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. સમિતિના વરિષ્ઠ સદસ્ય અને ભાજપના નેતા નિશીકાંત દુબેએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શશી થરૂરને પેનલના અધ્યક્ષ તરીકે હટાવવા માટે પત્ર લખ્યો હતો. તેમનો આક્ષેપ છે કે કોંગ્રેસના નેતાઓ રાજકીય એજન્ડા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
શું છે વિવાદ?
નોંધનીય છે કે ફેસબુકને લગતો આખો વિવાદ અમેરિકન વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત થતાં સમાચાર પછી શરૂ થયો હતો. આ સમાચારોમાં ફેસબુકના અનામી સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકના સિનિયર ભારતીય પોલિસી અધિકારીએ તેલંગાણાના ભાજપના ધારાસભ્ય પર સાંપ્રદાયિક આક્ષેપોવાળી પોસ્ટ કરવા બદલ ફેસબુક ઉપરથી કાયમી પ્રતિબંધને રોકવા માટેના આંતરિક પત્ર લખીને દખલ કરી હતી.
આ પછી, ટ્વિટર પર ટ્વિટર અને દુબે વચ્ચે જોરદાર ટ્વીટર વોર થયું હતું. બાદમાં ફેસબુકને લગતા વિવાદ પર થરૂરે કહ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની સ્થાયી સમિતિ આ વિષય પર ફેસબુક પાસેથી જવાબ માંગશે. દુબેએ તેમના આ નિવેદનમાં વાંધો ઉઠાવ્યો હતો.