બંધારણ સંશોધન (126મું) બિલ લોકસભાથી પાસ થઇ ગયું છે. બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રજૂ કર્યું. રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું કે 2011ની જનગણતરી અનુસાર દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. તેઓએ કહ્યું કે એંગ્લો ઇન્ડિયન માટે એક જોગવાઇ પણ છે. પરંતુ આજે આ બિલમાં તેને લાવવામાં આવ્યું નથી.
બિલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપવામાં આવેલા અનામતને 10 વર્ષ સુધી વધારવાની જોગવાઇ છે.
એંગ્લો-ઇન્ડિયન સમુદાય, એસસી, એસટી માટે અનામત 25 જાન્યુઆરી 2020ના દિવસે પૂર્ણ થઇ રહ્યું છે. આગળના 10 વર્ષો માટે એટલે કે 25 જાન્યુઆરી, 2030 સુધી બેઠકોના અનામતને વધારવા માટે આ બિલ છે. જ્યારે તેમા સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટાને ખતમ કરવાની જોગવાઇ છે.
લોકસભામાં પાસ થયું બંધારણ સંશોધન (126મું) બિલ
બંધારણ સંશોધન (126મું) બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. આ બિલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોમાં અનામત 10 વર્ષ માટે વધારવાની જોગવાઇ છે. ત્યારે તેમા સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટા ખતમ કરવાની પણ જોગવાઇ છે.
બંધારણ સંશોધન (126મું) બિલમાં શું છે
આ બિલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપવામાં આવેલા અનામતને 10 વર્ષ સુધી વધારવાની જોગવાઇ છે. એંગ્લો-ઇન્ડિયન, એસસી અને એસટીને આપવામાં આવતું અનામત 25 જાન્યુઆરી, 2020ના દિવસે સમાપ્ત થઇ રહ્યું છે. ત્યારે એસસી અને એસટીને આપવામાં આવતું અનામત દસ વર્ષો માટે, એટલે કે 25 જાન્યુઆરી 2030 સુધી વધારવા માટે બિલ રજુ કરવામાં આવ્યું છે.
રવિશંકર પ્રસાદે શું કહ્યું
રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યું કે 2011ની જન ગણતરી અનુસાર દેશમાં 296 એંગ્લો ઇન્ડિયન છે. તેઓએ કહ્યું કે એંગ્લો ઇન્ડિયન માટે એક જોગવાઇ પણ છે. પરંતુ આજે આ બિલને તેને લાવવામાં નથી આવ્યું. જોકે, કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને બીજેડીના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે મંત્રીનો ડેટા અતિશયોક્તિ છે. કોંગ્રેસની સાંસદ હિબી ઇડને એસસી/એસટી સમુદાયો માટે અનામતના વિસ્તારનું સમર્થન કરતા કહ્યું કે મંત્રીએ ગૃહને ગેરમાર્ગે દોર્યા છે. મારા મત વિસ્તારમાં લગભગ 20,000થી વધારે એંગ્લો ઇન્ડિયન છે.