ભારતીય જનતા પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હીપ જારી કરીને તેમને 29 નવેમ્બરે ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
29 નવેમ્બરથી શરુ થશે સંસદનું શિયાળુ સત્ર
ભાજપે તેના સાંસદોને ત્રણ લાઈનનું વ્હીપ જારી કર્યું
29 નવેમ્બરે ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે સરકાર ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા માટે બિલ લાવી શકે છે. વ્હીપે જણાવ્યું હતું કે સોમવારે ગૃહમાં "મહત્વપૂર્ણ" ચર્ચા અને તેના પસાર થવા માટે ભાજપના સભ્યોને સરકારને ટેકો આપવા માટે હાજર રહેવાની જરૂર પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરે રાષ્ટ્રને સંબોધન માં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ પૃષ્ઠભૂમિ માં, થોડા દિવસો પછી, મંત્રીમંડળે કૃષિ કાયદાઓ, 2021ને રદ કરવા માટેના વિધેયકને મંજૂરી આપી.
29 નવેમ્બરથી શરુ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર
29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરુ થઈ રહ્યું છે જેમાં કેટલાક મહત્વના બીલ પણ લાવવાની સરકારની યોજના છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાના વિધેયકને મંજૂરી આપી હતી. ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનું વિધેયક સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા અંગેની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
બંને ગૃહોમાં સત્ર દરમિયાન આ પ્રક્રિયા
પૂર્ણ થશે માહિતી પ્રસારણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદાઓને રદ કરવાની પ્રક્રિયા 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં પૂર્ણ કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થશે અને ૨૩ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. છેલ્લા દોઢ વર્ષમાં યોજાયેલા સંસદ સત્રોની જેમ શિયાળુ સત્ર કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે. સત્ર દરમિયાન લગભગ ૨૦ બેઠકો થશે.