કાળુ નાણુંને લઇને ઘણીવાર આપણાને રાજકીય નિવેદન સાંભળવા મળતા હોય છે. મોદી સરકાર દ્વારા પણ કાળુ નાણું પાછુ લાવવાની વાત કરવામાં આવતી રહે છે. પરંતુ કેન્દ્ર સરકારને ખબર નથી કે, દેશ અને વિદેશોમાં કેટલુ કાળુ નાણું છે.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં ખુલાસો
દેશની અંદર અને બહાર કાળા નાણાને લઇને કોઇ સરકારી અનુમાન નથી :નાણા રાજ્ય મંત્રી
ભારતે 130થી વધારે દેશો સાથે સમજુતી કરી છે
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં ખુલાસો કર્યો છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેઓએ કહ્યું કે, દેશની અંદર અને બહાર કાળુ નાણાને લઇને કોઇ સરકારી અનુમાન નથી.
કોંગ્રેસના રાજ્યસભા સદસ્ય રંજીબ બિસ્વાલે કેન્દ્ર સરકારને આ સંબંધમાં સવાલ કર્યો હતો. તેઓએ નાણા મંત્રાલયને કાળા નાણા પર વિસ્તારથી જાણકારી માંગી હતી. તેઓએ કહ્યું કે, ભારતે 130થી વધારે દેશો સાથે સમજુતી કરી છે. તેના હેઠળ ટેક્સ સંબંધી સૂચનાઓ શેયર કરવામાં આવે છે. તેમા એમ પણ સૂચનાઓ સામેલ છે કે વિદેશોમાં કેટલુ કાળુ નાણું છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, બ્લેક મની વિશે જાણકારી મેળવવા માટે સરકારે ઘણા પગલા ઉઠાવ્યા છે. જોકે, દેશની અંદર અને બહાર કેટલુ કાળુ નાણું છે, તેને લઇને કોઇ સરકારી અનુમાન નથી. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારતે 2017થી સૂચનાઓનું આદાન-પ્રદાન શરૂ કર્યું છે.