કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીર પુર્નગઠન સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્મ્મુ કાશ્મીરની સ્થિતિને આપણે સમજવી જોઇએ.
લોકસભામાં અમિત શાહનો જવાબ
370 કલમ હટાવવાને લઈને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
કહ્યું- હિસાબ માગતા પહેલા 70 વર્ષનો હિસાબ તો લાવો!
તેમણે વધુમાં કહ્યું, કલમ 370 પર 17 મહિનાથી હિસાબ માંગવામાં આવી રહ્યો છે તો હું તેમને પૂછવા માગુ છું કે 70 વર્ષ સુધી તમે શું કર્યું ? તેમણે કહ્યું કે, પેઢીઓ સુધી જમ્મુ કાશ્મીરમાં શાસન કરનાર જવાબ આપો.
70 વર્ષના સાશનનો હિસાબ લઈને આવ્યા છો ?
શાહે વધુમાં કહ્યું કે, અહીં એવું કહેવામાં આવ્યું હતું કે કલમ 370 ને દૂર કરતી વખતે કરવામાં આવેલા વચનોનું શું થયું? હું તેનો જવાબ ચોક્કસ આપીશ. પરંતુ કલમ 370 ને દૂર કર્યાને માત્ર 17 મહિના થયા છે, શું તમે 70 વર્ષોથી જે કર્યું તેનો હિસાબ લઈને આવ્યા છો?
યોગ્ય સમયે સ્ટેટ હુડનો દરજ્જો મળી જશે
આ બિલમાં એવું ક્યાંય નથી લખ્યું કે આમા જમ્મુ-કાશ્મીરને સ્ટેટહુડ નહીં મળે, હું ફરીથી કહું છું કે, આ બિલનો જમ્મુ-કાશ્મીર સાથે કોઇ જ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને સ્ટેહુડનો દરજ્જો મળી જશે.
'કલમ 370 મામલાને હિંદુ-મુસ્લિમ બનાવી રહ્યા છે ઓવૈસી '
અમિત શાહે કહ્યું, ઓવૈસી જી કલમ 37૦ ના મામલાને હિન્દુ મુસ્લિમ બનાવી રહ્યા છે. વિરોધ માટે બધું હિન્દુ-મુસ્લિમ? શું આપણે દેશના સરકારી અધિકારીઓને હિન્દુ મુસ્લિમોમાં પણ વહેંચીશું? તેનો વિકાસ કેવી રીતે થશે? અધિર રંજન ચૌધરી અમારી સાથે 2 જી અને 4 જી વિશે વાત કરી રહ્યા છે. કોંગ્રેસે વર્ષોથી મોબાઇલ સેવાઓ બંધ રાખી. અમારા ઉપર દબાણની વાત છે.