આજથી સંસદનું નવુ સત્ર શરૂ થશે અને આવતી કાલે નાણા મંત્રી નિર્મલા સિતારમણ ચોથી વખત બજેટ રજૂ કરશે. જોકે આ વખતે સંસદમાં ખાસ કોરોના પ્રોટોકોલના પાલન સાથે દરેક કામગીરી કરવામાં આવશે.
ચોથી વખત નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે
કોરોનાને કારણે આ વર્ષે બજેટ 2 તબક્કામાં રહેશે
બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રીવ સુધી રહેશે
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ સવારે 11 વાગ્યે એક સાથે બંને ગૃહને સંબોધીત કરશે. બાદમાં કાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 8 એપ્રીલ સુધી ચાલશે.
કોરોનાને કારણે બજેટ 2 તબક્કામાં રહેશે
સતત ચોથી વખત નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરવાના છે. આ વર્ષે બજેટ કોરોનાના કારણે 2 તબક્કામાં રહેશે પહેલો તબક્કો 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો રહેશે અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. 12 અને 13 માર્ચે રજા રહેશે. જેમા સ્થાયી સિમિતી મંત્રાલયો માંગણીની તપાસ કરશે અને તેના પર એક રિપોર્ટ બનાવશે.
પહેલા ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો રહેશે
આપને જણાવી દઈએ કે કુલ 29 બેઠકો હશે જેમા પ્રથમ ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો રહેશે. 2 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 2022 સુધી લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા ચાલશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 થી 10 વાગ્યા સુધી ચાલવાની છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી રોજ પાચ કલાક ચાલશે. પરંતું તેનો સમય અલગ અલગ રહેશે.
કોરોના પ્રોટોકોલ સાથે દરેક સદસ્યોને બેસાડવામાં આવશે
બજેટ સત્ર સમયે રાજ્યસભાની બેઠક પેહલા થશે અને બાદમાં લોકસભાની બેઠક થશે. કોરોના પ્રોટોકલ સાથે રાજ્યસભા અને લોકસભાની ચેંબર અને ગેલરીમાં દરેક સદસ્યોને બેસાડવામાં આવશે. એટલે કે બજેટ સત્ર વખતે કોઈ પણ વિઝિટરને કાર્યવાહી જોવાની મંજૂરી આપવામાં નથી આવી.
બજેટ પર ચર્ચા માટે 40 કલાકનો સમય
બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચા થશે સાથેજ બજેટ પર સામાન્ય ચર્ચા થશે. ધન્યવાદ પ્રસ્તાવ માટે ચાર દિવસ રહેશે જેમા 2, 3, 4 અને 7 ફેબ્રુઆરીએ તેના પર ચર્ચા થશે. બજેટ રજૂ કર્યા બાદ પહેલા ભાગ વખતે 2 થી 11 ફેબ્રુઆરીમાં અલગ અલગ પ્રશ્નો તેમજ ગેર સરકારી કાર્યો પર ચર્ચા, ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા અને કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચા માટે 40 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
કોરોનાને કારણે ખાસ વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકસભા કક્ષ અને સંસદ ભવન પરિસરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસટન્સના માપદંડોને સુનિશ્ચિત કરવા લોકસભા ચેંબર 282, લોકસભા ગેલરી 148, રાજ્યસભા ચેંબર 60, રાજ્યસભા ગેલરી 51 ની ગણતરીને ધ્યાનમાં રાખી સીટો આપવામાં આવી છે. સંસદ સદસ્યો અને અન્ય વિઝિટર્સ માટે પરિસરમાં વેક્સિનેશન અને પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.