દુનિયાભરના જહાજોને ભારતમાં રિસાઇકિલ કરવાને લઇને હવે કોઇ અડચણ સામે આવશે નહીં. રાજ્યસભામાં જહાજોને લઇને રિસાઇકલિંગ બિલ 2019ને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં આ બિલ ગત અઠવાડિયે પસાર કરી દેવામાં આવ્યું હતું. જો કે આ બિલને લઇને ગુજરાતમાં આવેલ અંલગને સૌથી વધારે ફાયદો થાય તેવુ અનુમાન લગાવામાં આવ્યું છે.
દુનિયાભરના જહાજોને ભારતમાં રિસાઇકિલ કરી શકાશે
રિસાઇક્લિંબ બિલ 2019 રાજ્યસભામાં પાસ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચર્ચા પર આપ્યાં જવાબ
રિસાઇક્લિંગ બિલ 2019 લોકસભામાં બાદ હવે રાજ્યસભામાં પાસ થવાની સાથે જ હવે જોખમી વાહકો, યુદ્ધ અને સેનાઓના જહાજો છોડીને બધા પ્રકારના જહાજો દેશમાં રિસાઇકિલ કરવાનો કાયદો બની ગયો છે.
આ બિલ પર ચર્ચામાં જવાબ આફતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણને લઇને સભ્યોની ચિંતાને ધ્યાનમાં રાખી આ સંસદીય સમિતિ ભલામણ કરી રહી છે કે તમે પોતે ગુજરાત જઇને જોઇ શકો છો કે કેટલા બધા આઇડીયા સાથે તેના પર કામ થઇ રહ્યું છે. આ બિલના માધ્યમથી કેન્દ્ર સરકાર આ ઉદ્યોગને પ્રોત્સાહન આપી તેમાં રોજગારીનું સર્જન કરવા માગે છે.
વિપક્ષે જતાવી આશંકા
બિલ પર ચર્ચા દરમિયાન સદનમાં સભ્યોએ આશંકા વ્યક્ત કરી કે આ બિલ પછી ભારત વિકસિત દેશમાં જહાજોનું કબ્રસ્તાન બની ન જાય. જ્યારે કેટલા સભ્યોએ પર્યાવરણના રક્ષણન પર ધ્યાન આપવાનીવાત કહી. કેટલાક સભ્યોએ સૂચન કર્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા દેવાની સાતે કેન્દ્રએ પર્યાવરવિદ્દની એક સમિતિ બનાવી જોઇએ, આનાથી થતા નુકસાનની સમિક્ષા કરે.
વૈશ્વિક બજારમાં ભારતીય ઉદ્યોગમાં 30 ટકા ભાગીદારી
વૈશ્વિક બજારમાં ભારતનું રિસાઇકલિંગ ઉદ્યોગમાં 30 ટકા ભાગીદારી છે. જે બિલ પાસ થવાથી હવે વધશે, લોકોને રોજગારની તક મળશે.