સંસદમાં મોન્સૂન સેશનની શરૂઆત 14મી સપ્ટેમ્બરે શરુ થશે તે પહેલા સાંસદોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેમાં લોકસભાનાં પાંચ સાંસદો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.
પાંચ સાંસદ કોરોના પોઝિટિવ
હજુ બીજા સાંસદોનો ટેસ્ટ ચાલી રહ્યો છે
કોરોના ગાઈડલાઈન સાથે આવતીકાલથી ચોમાસું સત્ર
સંસદમાં ચોમાસું સત્રની શરૂઆત સોમવારથી થવા જઈ રહી છે અને તે પહેલા લોકસભાનાં પાંચ સાંસદો કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા છે અને હજુ બીજા સાંસદોનાં કોરોના ટેસ્ટ ચાલી રહ્યા છે.
કોરોના વાયરસ સંકટના કારણે સંસદ સત્રમાં ઘણા બધા ફેરફાર થયા છે અને સંસદ સત્રમાં કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. લોકસભા દરરોજ ચાર કલાક જ કામ કરશે એવામાં શૂન્ય કાળના સમયમાં સમયને ઘટાડીને અડધો કલાક કરી દેવામાં આવ્યો છે અને જવાબ પણ લિખિત રૂપમાં આપી દેવામાં આવશે.
સંસદ સત્રને લઈને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંકટના આ સમયમાં બધા એક છે. હવે સંવૈધાનિક જવાબદારીઓનું વહન કરવાનો સમય આવી ગયો છે. સત્ર પહેલા બધા સદસ્યોએ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. સાંસદ ડિજીટલ રૂપે પોતાની ઉપસ્થિતિ નોંધાવી શકશે. આ વખતે સંસદ ભવનમાં સંપૂર્ણપણે ડિજીટલ પત્રાચાર કરવામાં આવશે. સંક્રમણથી બચવા માટે સતત સેનિટાઈઝેશન કરવામાં આવશે.
નોંધનીય છે કે સંસદમાં મોન્સૂન સેશનની શરૂઆત 14મી સપ્ટેમ્બરે શરુ થશે . સંસદ સત્ર પહેલી ઓક્ટોબરે સમાપ્ત થશે. કોરોના સંકટ વચ્ચે આયોજિત આ સત્રની બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે જેમાં સદસ્યોનું ટેસ્ટિંગ અને દૂર-દૂર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે બે ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરવામાં આવશે.