સંસદ સત્ર શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. કોરોના સંકટના કારણે આ વખતે ઘણા ફેરફાર થયા છે અને પ્રશ્નકાળને હટાવી દેવામાં આવ્યો છે. વિપક્ષ તરફથી આ મામલે ખુબ વિરોધ કરાયા બાદ હવે સરકારે કેટલાક ફેરફાર કર્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અને TMC સાંસદે ભાજપ સરકાર પર મોટા પ્રહાર કર્યા છે.
મૉનસૂન સત્રમાં થઇ શકશે લેખિત સવાલ
TMC સાંસદે કહ્યું- આ ગુજરાતનું જીમખાનું નથી
ભાજપ સંસદને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છેઃ શશિ થરૂર
હવે સંસદના મૉનસૂન સત્ર દરમિયાન સાંસદ સાંસદ લેખિતમાં સવાલ પૂછી શકશે, જેનો જવાબ લેખિતમાં જ મળશે. જોકે વિપક્ષ હજુ પણ નિર્ણયથી સંતુષ્ટ નથી દેખાઇ રહ્યું. ગુરૂવારે સંસદ સત્રથી જોડાયેલ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું છે કે, સાંસદોને આ જણાવવામાં આવે છે કે આ વખતે રાજ્ય સભામાં પ્રશ્નકાળ નહીં હોય. તેવામાં તમામ સભ્ય પોતાના સવાલ પહેલા આપી શકે છે જેનો જવાબ લેખિતમાં મળશે.
તમને જણાવી દઇએ કે કોરોના સંકટ વચ્ચે આ વખતે સંસદનું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે વગર કોઇ રજાએ 1 ઓક્ટોબર સુધી સતત ચાલશે. આ વખતે બન્ને સદન અલગ અલગ શિફ્ટમાં ચાલશે, જેથી નિયમોનું પાલન થઇ શકે. પરંતુ પ્રશ્નકાળ અને શૂન્ય કાળ રદ્દ થવાના કારણે વિપક્ષ સરકાર પર પ્રહાર કરતું હતું.
આ સંસદ છે ગુજરાત જિમખાનું નહીંઃ TMC નેતા
સરકારના આ નિર્ણય પર TMC નેતા ડેરેક ઓબ્રાયને પણ પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તમે પ્રશ્નકાળને મંજૂરી ન આપી, જ્યાં મંત્રીઓને સાંસદોના જવાબ આપવાના હોય છે. પરંતુ હવે તમે લેખિત સવાલ-જવાબ પર માની ગયા. ટુકડા ફેંકવાનું બંધ કરો, આ સંસદ છે ગુજરાત જિમખાનું નહીં.
You don’t allow #QuestionHour where ministers have to stand up and answer Qs from MPs and be held accountable. Now you only condescend to allow written Questions/Answers!
Stop throwing crumbs. This is #Parliament Not the Gujarat Gymkhana
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 3, 2020
ભાજપ સંસદને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છેઃ શશિ થરૂર
કોંગ્રેસ નેતા શશિ થરૂર સહિત કેટલાક નેતાઓએ આ મામલે સરકારને ઘેરી હતી. કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા કે ભાજપ સંસદને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છે. જ્યાં સવાલ પૂછવાની મનાઇ છે અને માત્ર બહુમતિના આધારે બિલ પાસ કરી દેવામાં આવશે.