કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સોમવારથી 18 દિવસના મોનસૂન સત્રની શરુઆત થઈ ગઈ છે. સત્રના બીજા દિવસે એટલે કે આજે રાજ્યસભાની કાર્યવાહી થઈ રહી છે. ઉપલા ગૃહની કાર્યવાહી સવારે 9 વાગે બપો સુધી ચાલશે તો લોકસભાની કાર્યવાહી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારે વિપક્ષે અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી છે. જેનાથી સંસદમાં હંગામો થવાના અણસાર છે. જેમાં અદાણી માટે નિયમ બદલ્યા હોવાની વાત પણ વિપક્ષે કરી છે.
અદાણી સમૂહે 6 હવાઈ મથકનું સંચાલન અને વિકાસ માટે બોલી જીતી છે
ખાનગી સંસ્થાને હવાઈ મથક સોંપવાના માપદંડનો સ્પષ્ટ ભંગ થયો
મંત્રાલયો અને વિભાગોની સલાહને નજર અંદાજ કરી દીધી
Adani group has won bids to operate & develop 6 airports. There's clear violation of norms in giving airports to a single private entity. Govt ignored advice of some of its own ministries & depts. Changes in norms enabled Adani group to win all 6 bids: Congress RS MP KC Venugopal pic.twitter.com/51AVY6NP8N
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, ‘અદાણી સમૂહે 6 હવાઈ મથકનું સંચાલન અને વિકાસ માટે બોલી જીતી છે. એક ખાનગી સંસ્થાને હવાઈ મથક સોંપવાના માપદંડનો સ્પષ્ટ ભંગ થયો છે. સરકારે પોતાના જ કેટલા મંત્રાલયો અને વિભાગોની સલાહને નજર અંદાજ કરી દીધી છે. માપદંડોમાં ફેરફારથી અદાણી ગ્રુપ 6 એરપોર્ટની બોલી જીતવામાં સફળ રહ્યું છે.
I must compliment govt for bringing back a lot of Indians from abroad under Vande Bharat Mission. And who did it? It was Air India. You can change the structure of Air India if you want but please don't sell it. Air India hai to Hindustan hai: TMC MP Dinesh Trivedi in Rajya Sabha pic.twitter.com/ErsyM7xXn6
રાજ્યસભામાં વાયુયાન સંશોધન વિધેયક 2020 પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે વિધેયકનો વિરોધ કરતા આરોપ લગાવ્યો છે કે આ પીપીપી મોર્ડલ એરપોર્ટને વિકસિત કરવાના નામે ઘોટાળો છે. ત્યારે વિધેયકનો બચાવ કરતા ભાજપ સાંસદ જીવીએલ નરસિંમ્હા રાવે કહ્યું કે આ આપણા વિમાન ક્ષેત્રમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે છે. જેનાથી પ્રવાસીઓના આવાગમનમાં વૃદ્ધિ થશે.
જ્યારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું કે મારે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ઘણા ભારતીયોને પાછા લાવવા માટે સરકારના વખાણ કરવા જોઈએ એવું કોને કહ્યું? આ એર ઈન્ડિયાએ કર્યુ છે. તમે ઈચ્છો તો એર ઈન્ડિયાનું માળખુ બદલી શકો છો પરંતુ મહેરબાની કરીને તેને વેચશો નહીં. એર ઈન્ડિયા છે તો હિન્દુસ્તાન છે.’