વિપક્ષની સહયોગી શિરોમણિ અકાલી દળના વિરોધ વચ્ચે કૃષિ સંબંધિત બે બિલ લોકસભામાં પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. કૃષિ સંબંધિત 'કૃષિ ઉપજ સંવર્ધન અને સુવિધા 2020' બિલ અને 'કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ 2020' બિલ ગુરૂવારે નિચલા ગૃહમાં પાસ થયા છે.
વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ સંબંધિત બિલ લોકસભામાં પાસ
વિપક્ષનો વિરોધ અને હરસિમરતનું રાજીનામું કામ ન આવ્યું
ખેડૂતોને ભ્રમિત કરવા અનેક શક્તિઓ લાગીઃ PM મોદી
કૃષિ સંબંધિત આ બિલને લઇને વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરવામાં આવ્યો હતો. તો અકાલી દળના મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ખાદ્ય અને પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હતા. જોકે આ તમામ વિરોધ વચ્ચે લોકસભામાં બન્ને બિલ પાસ થયા છે.
लोकसभा में ऐतिहासिक कृषि सुधार विधेयकों का पारित होना देश के किसानों और कृषि क्षेत्र के लिए एक महत्वपूर्ण क्षण है। ये विधेयक सही मायने में किसानों को बिचौलियों और तमाम अवरोधों से मुक्त करेंगे। #JaiKisan
હરસિમરત કૌરના રાજીનામા બાદ PMએ ટ્વિટ કરીને કહ્યું કે, ખેડૂતોને ભ્રમિત કરવા અનેક શક્તિઓ લાગી છે. હું મારા ખેડૂત ભાઇઓને આશ્વસ્ત કરવા માગુ છું. MSP-સરકારી ખરીદની વ્યવસ્થા યથાવત રહેશે. આ બીલ ખેડૂતોને અન્ય વિકલ્પ પ્રદાન કરશે. આ બીલ ખેડૂતોને સશક્ત કરનારુ બીલ છે. ખેડૂતોને ઉપજ વેચવા નવા અવસરો મળશે. નવા સુધારાથી ખેડૂતોનો નફો વધશે. કૃષિને આધુનિક ટેક્નોલોજી મળશે. દેશનો અન્નદાતા સશક્ત થશે.
किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan
મોદી સરકારે કૃષિ ક્ષેત્ર માટે સૌથી મોટા બજેટની ફાળવણી કરીઃ કૃષિ મંત્રી
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, મોદી સરકારે કૃષિ ક્ષેત્ર માટે સૌથી મોટા બજેટની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2009-10માં યૂપીએ સરકાર દરમિયાન કૃષિ મંત્રાલયનું બજેટ 1200 કરોડ રૂપિયા હતું અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વદીને 1,34,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
આ બિલ ખેતીને નફો અને ખેડૂતોને આઝાદી અપાવનારઃ કૃષિ મંત્રી
બિલના ફાયદા ગણાવતા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, આ બિલ ખેતીને નફો અપાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનું ઉત્પાદન કોઇ પણ સ્થળે કોઇ પણ વ્યક્તિને વેચવાનો અધિકાર હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ ખાનગી રોકાણ ગામડા સુધી પહોંચાડશે અને રોજગાર વધારશે. ખેડૂતો સારા પાકો તરફ આકર્ષિત થશે. કૃષિ નિકાસને પ્રોત્સાહન મળશે.