સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી એટલે કે, 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા આજે કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે.
આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર યોજાશે
18 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે આ સત્ર
કેન્દ્ર સરકારે આજે સર્વદળીય બેઠક બોલાવી, પીએમ મોદી હાજર રહે તેવી સંભાવના
સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી એટલે કે, 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા આજે કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. કહેવાય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ સામેલ થઈ શકે છે. સંસદનું આ સત્ર 18 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે ચોમાસુ સત્રમાં ભારે હોબાળો જોવા મળશે. આ અગાઉ શનિવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ દળને શાંતિ અને ગરિમા જાળવી રાખવાનું આહ્વાન કર્યું હતું.
કહેવાય છે કે, આ દરમિયાન સરકાર તરફથી આ ચોમાસુ સત્રને લઈને વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા થશે. તો વળી શનિવારે થયેલી સર્વદળીય બેઠકમાં જાણકારી આપવામાં આવી છે કે, સંસદનું કામકાજની યાદી અનુસાર 14 અટવાયેલા બિલ અને 24 નવા બિલ સામેલ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને જાણકારી સત્ર દરમિયાન 18 બેઠક હશે અને કુલ 108 કલાકનો સમય રહેશે. તેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે હશે. વધેલો સમય પ્રશ્નકાળ, શૂન્યકાળ અને બિન સરકારી કામકાજ માટે ફાળવવામાં આવ્યો છે.
શનિવારે અમુક પાર્ટીઓ જ જોડાઈ હતી
18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદ સત્ર પહેલા શનિવારે થયેલી સર્વદળીય બેઠકમાં વિપક્ષે સત્રમાં અગ્નિપથ યોજના અને ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માગ કરી છે. તો વળી શનિવારે મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓ આ બેઠકમાં ગેરહાજર રહી હતી. બેઠકમાં કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી અને ડીએમકે તરફથી ટીઆર બાલૂ સામેલ થયા હતા. બેઠકમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી અને અપના દળ (એસ)ના નેતાઓ સામેલ થયા હતા.
તો વળી ટીએમસી, ટીઆરએસ, શિવસેના, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, તેલૂગુ દેશમ પાર્ટી, શિરોમણી અકાલી દળ, તથા ઼ડાબેરીના પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થયા નહોતા. બીજૂ જનતા દળનો કોઈ પ્રતિનિધિ પણ આ બેઠકમાં જોડાયા નહોતા.