લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, કોદિકુન્નિલ સુરેશ અને સાંસદ ગૌરવ ગોગોઈએ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. આ નેતાઓ ઈચ્છે છે તે લોકસભામાં નાગરિકતા કાયદાને લઈને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવે. તેની પહેલાં શુક્રવારે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદ, સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષે નાગરિકતા કાયદાને લઈને હંગામો કર્યો હતો.
CAAના વિરોધમાં અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શન
વિપક્ષ પાર્ટીઓ કાયદાને ગણાવી રહ્યા છે સંવિધાન વિરોધી
રાષ્ટ્રપતિના અભિભાષણ સમયે પણ વિપક્ષે કર્યો હતો હંગામો
રાજ્યસભાની કાર્યવાહી થઈ સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપીને સીએએની વિરુદ્ધમાં થઈ રહેલા પ્રદર્શન અને જામિયામાં સતત થઈ રહેલા ગોળીબારને લઈને દેશની સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી હતી.
લોકસભામાં વિપક્ષનો હંગામો
લોકસભા શરૂ થતાંની સાથે જ સાંસદોએ દિલ્હીના જામિયા વિસ્તાર અને શાહીન બાગમાં થયેલા ગોળીબારના વિરોધમાં નારેબાજી કરી. સંસદમાં ગોળીઓ મારવાનું બંધ કરો, દેશને તોડવાનું બંધ કરોના સૂત્રોચ્ચાર થયા. રવિવારે અજ્ઞાત લોકોએ જામિયા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. તેની પહેલાં 2 અન્ય ઘટનાઓ પણ બની હતી. જ્યાં સીએએનો વિરોધ કરી રહેલા લોકોને ધમકાવવા અને ખુલેઆમ ગોળીબારી કરવાની ઘટના બની રહી છે. વિપક્ષ આ સ્થિતિને લઈને સદનમાં ચર્ચા ઈચ્છે છે.
Congress MPs Adhir Ranjan Chowdhury, Kodikunnil Suresh, & Gaurav Gogoi have given Adjournment Motion Notice in Lok Sabha to "reconsider Citizenship Amendment Act after unrest in the country & to stop the process of National Register of Citizens & National Population Register". pic.twitter.com/l57XnXGkXq
રાજ્યસભામાં પણ CAAને લઈને ચર્ચા માટે કોંગ્રેસને નોટિસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ અને આનંદ શર્માએ દેશની સ્થિતિ પર ચર્ચાને માટે રાજ્યસભામાં નોટિસ આપી છે. આ દેશમાં નાગરિકતા કાયદા પર થી રહેલા દેશવ્યાપી આંદોલનનો વિરોધને લઈને સદનમાં ચર્ચા કરી છે. કોંગ્રેસ રાજ્યસભામાં નિયમ 267ના આધારે નોટિસ આપી છે.
વિપક્ષનું કહેવું છે કે સંશોધિત નાગરિકતા કાયદાના ભેદભાવ પૂર્ણ અને સંવિધાનની ભાવનાની વિરુદ્ધ છે, સરકારનું કહેવું છે કે આ કાયદાનો ફાયદો એ અલ્પસંખ્યકોને થશે જે પડોશી મુસ્લિમ દેશોમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર થઈ રહ્યા છે. તેનાથી ભારતના અલ્પસંખ્યકો કે કોઈ અન્ય નાગરિકોને કોઈ નુકસાન થશે નહીં.
આ છે વિવાદ
સંશોધિત નાગરિકતા કાયદાના આધારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડન સહન કરનારા હિંદુ, શિખ, બુદ્ધિષ્ઠ, જૈન, પારસી અને ઈસાઈ ધર્માના લોકો જે 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવી ચૂક્યા છે અને તેમને ભારતના નાગરિક માનવામાં આવશે. આ મુદ્દે મુસ્લિમ સમુદાયને છૂટ આપવામાં આવી નથી.