મંગળવારે સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા નિશાન સાધતા જણાવ્યું કે વિપક્ષ સંસદને કાર્ય કરવા દેતો નથી તે સંસદ, બંધારણ, લોકશાહી અને દેશની જનતાનું અપમાન છે.
ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું આકરુ સ્વરુપ
પાપડી ચાટ કોમેન્ટ અને કાગળ ફાડનાર સાંસદો પર વરસ્યા PM મોદી
વિપક્ષોએ સંસદનું અપમાન કર્યું, કોંગ્રેસને જનતા આગળ ખુલ્લો પડાશે-મોદી
સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી કોંગ્રેસ પર વરસ્યા
સંસદની કાર્યવાહી દરમિયાન કેબિનેટ મંત્રી પાસેથી કાગળ છીનવી લેવાની અને પાપડી ચાટની ટિપ્પણી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન.આનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે સંસદનું અપમાન કરવામાં આવ્યું છે. આ પહેલા, 27 જુલાઈના રોજ, બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે આ પાર્ટી ગૃહને કામ કરવા દેતી નથી.
BJP Parliamentary party meeting held today in Delhi. PM Narendra Modi, Union Home Minister Amit Shah, party national president JP Nadda and other leaders were present. pic.twitter.com/wxNtR7z8kM
લોકો અને મીડિયાની સામે કોંગ્રેસને ખુલ્લો પાડો, મોદીએ ભાજપ સાંસદોને જણાવ્યું
તેમણે કહ્યું હતું કે જ્યારે કોવિડ -19 પર બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે પણ બહિષ્કાર કર્યો હતો અને અન્ય પક્ષોને આવતા અટકાવ્યા હતા. પીએમ મોદીએ ભાજપના સાંસદોને કોંગ્રેસ અને વિપક્ષના આ 'કામ' ને જનતા અને મીડિયા સામે ઉજાગર કરવા વિનંતી કરી હતી. પીએમે સાંસદોને એમ પણ કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે 75 ગામોની મુલાકાત લો, 75 કલાક રોકાઓ. લોકોને ગામડાઓમાં દેશની સિદ્ધિઓ, દેશની આઝાદી, આ બધી બાબતો વિશે જણાવો. નાની જોડી બનાવો અને જાઓ. તેમણે કહ્યું હતું કે, એ સુનિશ્ચિત કરવું પડશે કે આઝાદીના 75 વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ ન બને, આ કાર્યક્રમમાં દેશના લોકોની ભાગીદારી હોવી જોઈએ.
તમામ સાંસદોને સંયમ અને ગૃહની ગરિમા જાળવવાનું જણાવ્યું
જોકે, બેઠકમાં પીએમ મોદીએ તેમના તમામ સાંસદોને સંયમ રાખતા ગૃહની ગરિમા જાળવવા પણ કહ્યું હતું. એક સાંસદે અમારા સહયોગી હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે બેઠકમાં પીએમ મોદીએ ભાજપના તમામ સાંસદોને કહ્યું હતું કે ગૃહમાં કામકાજ ચાલુ રાખવું એ અમારી જવાબદારી છે.એક સપ્તાહમાં આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહની અટકેલી કાર્યવાહીના કારણે વિપક્ષી દળોને નિશાન બનાવ્યા. પેગાસસ હેકિંગ અને ત્રણ કૃષિ કાયદાઓ પર વિરોધ પક્ષો સંસદમાં હંગામો કરતા રહે છે. અગાઉ, પીએમ મોદીએ ભાજપના સાંસદોને કોંગ્રેસની વાસ્તવિકતા બહાર લાવવાનું કહ્યું હતું, ગૃહની કાર્યવાહી ન ચલાવવા માટે કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવી હતી.