ચોમાસુ સત્ર પહેલા સંસદ ભવન પરિસરમાં ધરણા-પ્રદર્શન, હડતાલ, ઉપવાસ જેવી પ્રવૃતિઓને લઈને સર્કુલરે એક નવો વિવાદ ઊભો કરી દીધો છે. જો કે, હવે લોકસભા સચિવાલય તરફથી તેના માટે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક લગાવી
સાંસદો માટે એડવાઈઝરી જાહેર થઈ
લોકસભા સચિવાલયે આપ્યું સ્પષ્ટીકરણ
ચોમાસુ સત્ર પહેલા સંસદ ભવન પરિસરમાં ધરણા-પ્રદર્શન, હડતાલ, ઉપવાસ જેવી પ્રવૃતિઓને લઈને સર્કુલરે એક નવો વિવાદ ઊભો કરી દીધો છે. જો કે, સંસદ પરિસરમાં ધરણા-પ્રદર્શન, હડતાલ, ઉપવાસ જેવી પ્રવૃતિઓ રોકવા સંબંધિત સાંસદોને જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દોશો પર લોકસભા સચિવાલયે સ્પષ્ટીકરણ આપ્યું છે. લોકસભા સચિવાલયે કહ્યું કે, આ પ્રકારના દિશા-નિર્દેશ અને અપીલ દરેક સત્ર પહેલા જાહેર કરવામા આવે છે. તેથી તેને સામાન્ય અને રૂટિન પ્રક્રિયા અંતર્ગત જોવું જોઈએ.
લોકસભા સચિવાલયે આ સ્પષ્ટીકરણ દિશા-નિર્દેશોને લઈને કોંગ્રેસના જયરામ રમેશ સહિત વિપક્ષના કેટલાય નેતાઓ દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ આવ્યો છે. લોકસભા સચિવાલયે એવું પણ કહ્યું કે, આવા દિશા-નિર્દેશ વચ્ચે સત્ર દરમિયાન પણ જાહેર થતા રહ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ચોમાસુ સત્ર પહેલા સાંસદોને નિર્દેશ આપવામા આવ્યા છે કે, સંસદ પરિસરમાં ધરણા, પ્રદર્શન, હડતાળ, ઉપવાસ અથવા કોઈ ધાર્મિક આયોજન વગેરે ન કરે. તેની સાથે જ લોકસભા સ્પિકરની મંજૂરી વિના કોઈ પણ લિટરેચર, પ્રશ્નાવલી, પેમ્ફ્લેટ, પ્રેસ નોટ, લીફલેટ અથવા પ્રિન્ટેડ વિષય વસ્તુઓનું વિતરણ અને પરિસરામં કોઈ પણ પ્રકારના પ્લેકાર્ડ ળઈને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
લોકસભા સચિવાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રકારના નિર્દેશ પહેલા પણ જાહેર થયા છે. તેથી તેના પર કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં અને તમામ સાંસદોને નિશ્ચિત માપદંડોનું પાલન કરવું જોઈએ