સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 2021-22નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે
રાષ્ટ્રપતિ કોવિંદ બંને સદનની સંયુક્ત બેઠક યોજશે.
નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 2021-22નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણામંત્રી એક ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.સોમવારે સર્વદળીય બેઠક બોલાવી છે. કોવિડ મહામારીની ત્રીજી લહેરને જોતાં સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠક દિવસમાં અલગ અલગ સમયે યોજવામાં આવી હતી. બજેટ સત્રના પ્રથમ બે દિવસ શૂન્યકાળ તથા પ્રશ્નકાળ નહીં યોજાય. કહેવાય છે કે, બજેટ સત્ર ધારદાર રહેવાના અણસાર વર્તાઈ રહ્યા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બજેટ સત્રમાં કોરોનાથી પ્રભાવિત થયેલા પરિવારોને રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા, સરહદ પર ચીન સાથે સંઘર્ષ અને અન્ય અમુક મુદ્દાને લઈને સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો છે.
આ બજેટ સત્ર 8 એપ્રિલે સમાપ્ત થશે, જેના સત્રનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.
12 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રજા રહેશે. આ દરમિયાન સ્થાયી સમિતિઓ અલગ અલગ મંત્રાલયો અને વિભાગે માટે બજેટ ફાળવણીની તપાસ કરશે અને રિપોર્ટ તૈયાર કરશે.
બજેટ સત્રના પ્રથમ બે દિવસ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ સંસદના બંને સદનોમાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ નહીં થાય.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. એવી શક્યતા છે કે, પ્રધાનમંત્રી મોદી સાત ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે ચાર દિવસ રાખ્યા છે. જે બે ફેબ્રુઆરીએ શરૂ થશે.
રાષ્ટ્રપતિનું અભિભાષણ 31 જાન્યુઆરીએ બપોરે 11 કલાકે થશે. લોકસભાની બેઠક એક ફેબ્રુઆરી સવારે 11 કલાકથી યોજાશે અને તે દિવસે સામાન્ય બજેટ પણ રજૂ કરવામાં આવશે.
ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે સરકારે અસ્થાયી રૂપે ચાર દિવસ નક્કી કર્યા છે. જો 2,3,4 અને 7 ફેબ્રુઆરી છે.
બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો થશે, જેમાં પહેલા તબક્કામાં 10 બેઠક અને બીજા તબક્કામાં 19 બેઠકો થશે.
સચિવાલયના જણાવ્યા અનુસાર કોવિડ 19ના કારણે લોકસભા 2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સાંજના 4 કલાકથી રાતના 9 વાગ્યા સુધી ચાલશે, રાજ્યસભાની બેઠક સવારે 10 કલાકથી બપોરના 3 કલાક સુધી ચાલશે.
કોરોના મહામારીને ધ્યાને રાખીને નિચલા સદનની બેઠક દરમિયાન બંને સદનના ગૃહનો ઉપયોગ સભ્યોને બેસવા માટે કરવામાં આવશે.
સંસદમાં રજૂ થતાં પહેલા કેન્દ્રીય બજેટ 2022-23ને મંજૂરી આપવા માટે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મંગળવારે સવારે 10.10 વાગ્યે થશે.