રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા થયા બાદ ગૃહ મંત્રી અમિત શાહ નિવેદન આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટ કરી રહ્યો છું કે સીએએ કોઇની નાગરિકતા લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે. જો એનપીઆર (NPR) ની વાત કરવામાં આવે તો તેમા માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે.
CAA કોઇની નાગરિકતા લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે : અમિત શાહ
અમિત શાહે કહ્યું, NPRમાં માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે
NPRમાં કોઇ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં મોટા વકીલ છે. હું તેમને પૂછવા માંગુ છું કે મને બતાવે કે નાગરિકતા કાયદો (CAA)માં એવી કઇ જોગવાઇ છે જેનાથી મુસ્લિમોની નાગરિકતા જતી શકે છે. તેના પર કપિલ સિબ્બલે વચ્ચે ઉઠીને એ વાતથી ઇનકાર કર્યો છે કે તેઓએ ક્યારે કહ્યું કે સીએએથી મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે.
અમિત શાહ અને કપિલ સિબ્બલની વાતચીત દરમિયાન અન્ય સાંસદોએ હુટિંગ પણ કર્યું. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટ કરી રહ્યો છું કે સીએએ કોઇની નાગરિકતા છિનવી લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે. જો એનપીઆરની વાત કરવામાં આવે તો તેમા માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે. અમિત શાહે કહ્યું કે એનપીઆર (NPR) માં કોઇપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં નહીં આવે. આ દેશમાં કોઇએ પણ NPRની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી.
CAAથી નહીં જાય નાગરિકતા -અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે ગૃહમાં હેટ સ્પીચને લઇને ઘણી ચર્ચા થઇ. હું બતાવવા માંગુ છું કે દેશમાં સીએએ (CAA) લાગુ થયા બાદથી હેટ સ્પીચની શરૂઆત થઇ. અમે સ્પષ્ટતા કરી હતી, એક-એક નેતાનું નામ લઇને જવાબ આપ્યો હતો કે સીએએથી કોઇની નાગરિકતા લેવામાં આવી શકશે નહીં કેમકે આ નાગરિકતા આપવાનો કાયદો છે. પરંતુ તેને લઇને દેશના મુસ્લિમ ભાઇઓને ભડકાવવામાં આવ્યા.
નોંધનીય છે કે રાજ્યસભામાં કપિલ સિબ્બલે ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવતા કહ્યું કે દિલ્હીમાં હિંસાની પાછળ એક વાયરસ છે. આ વાયરસને ભડકાઉ ભાષણો દ્વારા ફેલાવવામાં આવ્યો. ભાષણ આપનાર પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.