રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે લોકસભામાં બોલવા માટે ઉભા થયાં ત્યારે તેમણે ખેડૂત આંદોલનને લઈને પણ ચર્ચા કહી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ખેડૂતો અફવાનો શિકાર થયાં છે તો વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સભ્યોએ વધુ હોબાળો મચાવ્યો છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતોના પવિત્ર આંદોલનને બરબાદ કરવા માટેનું કામ આંદોલનકારીઓ નહીં આંદોલનજીવીઓએ કર્યું છે.
આવો ટેબલ પર બેસીને વાત કરીએ
માટે દેશને આંદોલનકારીઓ અને આંદોલનજીવીઓ વચ્ચે ફરક કરવો જરૂરી છે. જો તે, તેમણે પોતાની વાતચીત દરમિયાન આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું હતું કે, આવો ટેબલ પર બેસીને વાત કરીએ.
કાયદો લાગૂ થયા બાદ MSP બંધ નથી થયુંઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, કાયદા લાગૂ થયા બાદ ન દેશમાં કોઇ માર્કેટ બંધ થઇ, ન MSP બંધ થયું. આ હકિકત છે. એટલું જ નહીં આ કાયદો બન્યા બાદ MSPની ખરીદી પણ વધી છે.
સાચે કોઇ ખામી હોય તો ફેરફાર કરવામાં શું જાય છે: PM
PM મોદીએ કહ્યું કે, આપણે માનીએ છીએ કે જો આમાં સાચે કોઇ ખામી હોય, ખેડૂતોને કોઇ નુકસાન હોય, તો ફેરફાર કરવામાં શું જાય છે. આ દેશ દેશવાસીઓનો છે. અમે ખેડૂતો માટે નિર્ણય કરીએ છીએ, જો કોઇ એવી વાતને યોગ્ય જણાવે છે તો અમને કોઇ સંકોચ નથી.
પીએમ મોદીએ ખેડૂતોને પૂછ્યો પ્રશ્ન
પીએમ મોદીએ કહ્યું કે, જે નથી થયું તેનો ડર ફેલાવવામાં આવી રહ્યો છે, આવા રસ્તા આંદોલનજવી અપનાવે છે. હું ખેડૂતોને પૂછવા માંગુ છું કે તેઓ જણાવે કે તેમનો કયો હક છીનવી લેવાયો છે.
કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવા જરૂરી છેઃ PM
નવા 3 કૃષિ કાયદા પર PM મોદીએ કહ્યું કે, કોરોનાકાળમાં નવા 3 કૃષિ બિલ લાવ્યા. કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવા જરૂરી છે. ખેડૂતોનું જીવન બદલવા પ્રયાસ કરી રહ્યાં છીએ. સારુ હોત કે કાયદાની વાતો પર ચર્ચા થાત. કૃષિ કાયદાઓ પર અફવાઓ ફેલાવવામાં આવી જેનો શિકાર આપણા ખેડૂત ભાઇ થયા. કૃષિ કાયદાઓના રંગ પર ચર્ચા થઇ કે તે બ્લેક કે વાઇટ છે. જો તેના તથ્યો પર ચર્ચા થઇ હોત તો સારૂ હોત. વર્ષોથી આપણું કૃષિ ક્ષેત્ર પડકારો અનુભવી રહ્યું છે. તેને બહાર લાવવા માટે કેટલાક પ્રયાસ કરવા પડશે. કૃષિ ક્ષેત્રના પડકારોને ખતમ કરવા માટે આપણે પ્રયાસ કરવા પડશે.
કૃષિ કાયદામાં સુધારા મહત્વપૂર્ણઃ PM
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આ કૃષિ કાયદા સુધારાનો સિલસિલો ખુબજ આવશ્યક અને મહત્વપૂર્ણ છે અને વર્ષોથી જે આપણું કૃષિ ક્ષેત્ર પડકાર અનુભવી રહ્યું છે, તેને બહાર લાવવા માટે આપણ સદંતર પ્રયાસ કરવા જ પડશે અને આપણે એક ઇમાનદારીથી પ્રયાસ કર્યો પણ છે.