કોરોના સંકટ અને કૃષિ કાયદાઓના વિરોધ વચ્ચે જાન્યુઆરી મહિનામાં સંસદ સત્ર શરુ થઇ શકે છે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લખેલા એક પત્ર અનુસાર સરકાર જાન્યુઆરી મહિનામાં બજેટ સત્રને શરુ કરશે.
આ વર્ષે નહીં થાય કોઈ શિયાળુ સત્ર
આવતા વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવશે બજેટ સત્ર
બજેટ સત્ર સામાન્ય કરતા પહેલા શરુ થઈ જાય તેવી સંભાવના
કોરોના વાયરસના કારણે આ વર્ષે સંસદમાં શિયાળુ સત્ર થઇ શક્યું નથી અને એવામાં લાંબા સમયથી સંસદમાં કોઈ સત્ર થયા નથી થતી. આ મામલે કોંગ્રેસ નેતાએ સંસદીય મંત્રીએ પત્ર લખ્યો હતો.
પ્રહલાદ જોશીએ પોતાના જવાબમાં જણાવ્યું છે કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને શિયાળો ખૂબ ગંભીર છે અને દિલ્હીમાં સતત કેસ વધી રહ્યા છે. હવે ડિસેમ્બર મહિનો વીતી રહ્યો છે અને ખૂબ જલ્દી કોરોના વાયરસની રસી મળી જાય તેવી સંભાવના છે ત્યારે શિયાળુ સત્ર પર ઘણા બધા ફ્લોર લીડર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બધા જ પક્ષો શિયાળું સત્ર ન કરવાના જ પક્ષમાં છે અને હવે સીધું જ બજેટ સત્ર કરવામાં આવશે.
નોંધનીય છે કે સામાન્યપણે બજેટ સત્ર જાનયુઆરી મહિનાના અંતમાં શરુ થાય છે અને પહેલી ફેબૃઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે. એવામાં આ વર્ષે જલ્દી સત્ર થઇ જાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસ અને ખેડૂતો સહીતના ઘણા બધા મુદ્દાઓ પર વિપક્ષ સતત સરકાર પર હુમલાઓ કરી રહ્યું છે અને ઘણીબધી વાર સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી છે એવામાં હવે સંસદ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જોવા મળી શકે છે.