આજથી 20 વર્ષ પહેલા એટલે કે 13 ડિસેમ્બરે 2001ના પાકિસ્તાનના 5 આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો.
13 ડિસેમ્બરે 2001ના રોજ સંસદ ભવન પર થયો હતો આતંકી હુમલો
પાકિસ્તાનના 5 આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો
આજે તે 9 વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે
13 ડિસેમ્બરે 2001ના રોજ સંસદ ભવન પર થયો હતો આતંકી હુમલો
20 વર્ષ પહેલા આજે એક જ દિવસે એટલે કે 13 ડિસેમ્બરે 2001ના પાકિસ્તાનથી આવનારા 5 આતંકવાદીઓએ દિલ્હીના લોકતંત્રના પવિત્ર મંદિર સંસદ ભવનને ગોળીઓથી ગજવી દીધુ હતુ. આજે દેશ પર થયેલા આતંકવાદી હુમલામાં 20મી વરસી છે.
આજે તે 9 વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે
આ પ્રસંગ પર આજે તે 9 વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. જેમાં તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વગર આતંકવાદીઓનો સામનો કર્યો અને સાંસદ ભવનમાં ઘૂસીને તેમના ઈરાદાને બહાર જ નિષ્ફળ બનાવી દીધા હતા. તે સમયે દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને સંસદના વિન્ટર સત્ર ચાલી રહ્યું હતુ. 13 ડિસેમ્બરની સવારે સફેદ રંગની એમ્બેસેડર કારમાં હાજર 5 હથિયારબંધ આતંકીવાદીઓને સંસદ ભવનની ઈમારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તત્કાલીન ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી પરિસરમાં હાજર હતા
સંસદ ભવનની અંદર ગેટની યોગ્ય જાણકારી ન હોવાના કારણે જે સફેદ એમ્બેસેડર કારમાં આતંકી બેઠા હતા તેમાં રાષ્ટ્રપતિના કાફલાએ ગાડીને ઉતાવડમાં ટક્કર મારી દીધી હતી. જેનાથી સુરક્ષાકર્મીઓને તેમના પર શંકા ગઈ હતી. બાદમાં આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો. ત્યારે મંત્રીઓ સાંસદમાં હાજર હતા તો તત્કાલીન ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી પરિસરમાં હાજર હતા.
હુમલાના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુને ફાંસી અપાઈ હતી
સંસદ પરના આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધમાં ઘણો તણાવ આવ્યો હતો અને યુદ્ધો જેવી સ્થિતિ બની ગઈ હતી. સુપ્રીમ કોર્ટે તમામ તપાસ બાદ કાશ્મીરી આતંકી અફઝલ ગુરુને લોકતંત્રના મંદિર પર હુમલાનો માસ્ટર માઈન્ડ માનતા તેને ગુનેગાર ગણાવતા ફાંસીની સજા સંભળાવી હતી. અફજલ ગુરુ ને 9 ફેબ્રુઆરી 2013એ દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.