બિસ્કિટ બનાવનારી દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડક્ટ્સમાં લગભગ બે મહીના પહેલા જ્યાં મંદીને કારણે 10,000 નોકરીઓ પર ખતરો હોવાના સમાચાર મળી રહ્યા હતા. હવે તેનો નફો 15.2 ટકા વધવાના સમાચાર મળ્યા છે.
નાણાકીય વર્ષ 2018-19માં પારલે જી બિસ્કિટ્સનો શુદ્ધ નફો 15.2 ટકા વધ્યો
બે મહીના પહેલા કંપનીએ મંદીને કારણે 10000 નોકરીઓ પર ખતરો બતાવ્યો હતો
કંપનીએ કહ્યું હતું, જો સરકાર GST કટની માંગ નહીં માને તો 10,000 લોકોની છટણી કરાશે
પારલે પ્રોડક્ટ્સ ગ્રુપની પારલે બિસ્કિટ્સનો નાણાકીય વર્ષ 2018-19માં શુદ્ધ નફો 15.2 ટકા વધ્યો છે. પારલે બિસ્કિટ્સનો નફો વધવાના સમાચાર એટલા માટે મહત્વપૂર્ણ છે કે નુકસાનની આશંકા જોતા બિસ્કિટ મેન્યુફેક્ચર્સે સરકાર પાસે જીએસટીમાં ઘટાડાની માંગ કરી હતી. બિઝનેસ પ્લેટફોર્મ ટોફ્લર મુજબ, ગત વર્ષમાં પારલે બિસ્કિટ્સનો શુદ્ધ નફો 410 કરોડ રૂપિયા રહ્યો. જે નાણાકીય વર્ષ 2017-18માં 355 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કંપનીને આવકમાં 6.4 ટકાનો વધારો થયો અને તે વધીને 9030 કરોડ રૂપિયા થઇ ગયો. 2017-18માં આ આંકડો 8780 કરોડ રૂપિયા હતો.
પારલે જીના નફા પર પ્રતિક્રિયા આપતા બીજેપીના નેશનલ ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી ઇન્ચાર્જ અમિત માલવીયે ટ્વિટ કરી કહ્યું, કેટલાક દિવસો પહેલા 'અલલાઇટેન્ડ ઇકોનોમિસ્ટ' કહી રહ્યા હતા કે લોકો 5 રૂપિયાની પારલે જી બિસ્કિટ નથી ખરીદી શકતા. કંપનીનો નફો 15.2 ટકા વધ્યો છે. અને આવક 6.4 ટકા વધીને 9030 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
નોંધનીય છે કે ઓગસ્ટમાં પારલે બિસ્કિટ્સે કહ્યું હતું કે જો સરકાર જીએસટી કટની માંગ ન માને તો અમારે અમારી ફેક્ટરીઓમાં કામ કરનારા 8,000-10,000 લોકોને નીકાળવા પડશે. જીએસટી લાગૂ થયા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમત વાળા બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લગાવામાં આવતો હતો.
કંપનીઓને આશા હતી કે પ્રીમિયમ બિસ્કિટ માટે 12 ટકા અને સસ્તા બિસ્કિટ માટે 5 ટકાનો જીએસટી રેટ નક્કી કરવામાં આવશે. જોકે, સરકારે બે વર્ષ પહેલા જ્યારે જીએસટી લાગૂ કર્યો ત્યારે તમામ બિસ્કિટોને 18 ટકા સ્લેબમાં નાંખી હતી. તેને પગલે કંપનીઓએ તેની કિંમત વધારવી પડી, જેની અસર સેલ્સ પર પડી.
પારલે જી, મોનેકો અને મેરી બિસ્કિટ બનાવનારી પારલેની સેલ્સ 10,000 કરોડ રૂપિયાથી વધારે હોય છે. 10 પ્લાન્ટ ઓપરેટ કરનારી આ કંપનીમાં એક લાખ કર્મીઓ કામ કરે છે. પારલેની પાસે 125 થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે. કંપનીની સેલ્સનો અડધાથી વધારે ભાગ ગ્રામીણ બજારોથી આવે છે.