જામનગરમાં જમીન માફિયા સામે તપાસ મામલે દિપેન ભદ્રનની SP તરીકે નિયુક્તિ બાદ મામલો ગરમાયો છે. તેમને લઇને કેટલીક ઓડિયો ક્લીપ પણ સામે આવી હતી. ત્યારે હવે સાંસદ પરિમલ નથવાણીનું ભૂમાફિયાના આતંકને લઇને નિવેદન સામે આવ્યું છે.
ભૂમાફિયાઓના આતંકને લઈને પરિમલ નથવાણીનું નિવેદન
ગુંડાગર્દી કરતા લોકોને નાતજાત સાથે કોઈ લેવાદવા નથીઃ નથવાણી
દિપેન ભદ્રનની SP તરીકે નિયુક્તિ બાદ મામલો ગરમાયો
જામનગરના પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર કરાયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. જામનગરમાં ભૂમાફિયાઓના આતંકને લઈને પરિમલ નથવાણી પ્રથમ વખત બોલ્યા. પરિમલ નથવાણીએ કહ્યું કે જયેશ પટેલ જેવા લોકોના કારણે જામનગરની પ્રજા તોબા પોકારી ગઈ છે કોઈને સુખ ચેન નથી.
નથવાણીએ કહ્યું કે, કોઈ વેચારી કે બિઝનેસ મેન પૈસા કમાય કે તરત તેના પર જયેશ પટેલના દલાલો સક્રિય થઈ જાય છે અને તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કરે છે. નવા SP દિપેન ભદ્રનની નિમણૂંકને આવકારવાનો હેતુ એ જ છે કે પહેલા પોલીસ મથકોમાં જયેશ સામે 41 ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મળતિયાઓના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી તેના કારણે હવે કંઈક સારું થાય તેવી આશા જામનગરના લોકો સેવી રહ્યા છે.
શું કહ્યું પરિમલ નથવાણીએ?
જયેશ પટેલ જેવા ભૂમાફિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો
જયેશ પટેલ અને તેની ટીમ લોકોને હેરાન પરેશાન કરતી હતી
કોઈપણ ધંધાદારી નવો ધંધો શરૂ કરે એટલે તેને હેરાન કરવાનું શરૂ કરતા
વેપારીઓ પૈસા કમાતા હોય એટલે ખંડણી લેવા ધમકીઓ આવતી હતી
જામનગરમાં જયેશના અનેક દલાલો કામ કરી રહ્યા છે તે ધમકી આપતા
જયેશ સામે પોલીસ સ્ટેશનમાં 41 ફરિયાદો દાખલ કરવામાં આવી છે
લોકો ફરિયાદ કરતા હતા પરંતુ પોલીસ એક્શન કરતી નહોતી
પોલીસ સક્ષમ છે અને ધારે તો બધી જ કાર્યવાહી કરી શકે છે
હવે કાર્યવાહીની વાત આવે છો તો કોમ્યુનિટી પર વાત લઈ જાય છે
ક્રિમિનલને કોઈ કોમ્યુનિટી સાથે કોઈ લેવા દેવા હોતી નથી
SP ભદ્રનની નિમણૂકથી જામનગરના લોકોને આશા જાગી છે
ગભરાયેલા દબાયેલા લોકો પોલીસ સમક્ષ ખુલીને આવશે
મારા સ્વભાવમાં ન આવતી વાતો હોવા છતા ન્યાયની લડાઈ લડીશ
ભદ્રન સાહેબ આવ્યા છે તો તેમને સમર્થન આપે અને મળીને કામ કરે
મેં હકુભાને કોટ કરીને કોઈ વાત જાહેર કરી નહોતી
વેપારીઓને સુરક્ષા મળે તે જ મારો ઉદ્દેશ છે અન્ય વાતમાં હું પડતો નથી
મંત્રીજી કહે છે કે કોઈ સાથે સાંઠગાંઠ નથી તો મારે કંઈ કહેવાનું નથી
જે સત્ય છે તે ચોક્કસ બહાર આવશે તેથી તેમાં બોલીસ નહીં
જામનગરમાં મોટાભાગના લોકો રિલાયન્સ પર મદાર રાખી રહ્યા છે
કોઈ વ્યક્તિગત લડાઈ નથી કાયદા વ્યવસ્થાની જ લડાઈ છે
ગુંડાગર્દી કરતા લોકોને નાતજાત સાથે કોઈ લેવાદવા નથી
કોઈપણ જ્ઞાતિનો માણસ હોય અસામાજિક લોકોને સમાજ હોતો નથી