શિક્ષામંત્રી રમેશ પોખરિયાલના જણાવ્યા અનુસાર પીએમ મોદી 9-12 ધોરણના વિદ્યાર્થીઓ,વાલી અને શિક્ષકો સાથે માર્ચમાં પરીક્ષા પે ચર્ચા કરશે.
માર્ચમાં ઓનલાઈન થશે PMની પરીક્ષા પે ચર્ચા
પ્રતિયોગિતાથી થશે વિદ્યાર્થીઓની પસંદગી
9-12 ઘોરણના વિદ્યાર્થીઓ સાથે પીએમ કરશે ચર્ચા
પીએમ મોદી વાર્ષિક સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાના આઘારે માર્ચમામં વિદ્યાર્થીઓ સિવાય તેમના વાલી અને શિક્ષકો સાથે પણ ઓનલાઈન સંવાદ કરશે. આ સમયે પૂછાયેલા સવાલના આધારે તેમની પંસદગી કરાશે. કોરોના મહામારીના કારણે આ વર્ષે પરીક્ષા પે ચર્ચાનું આયોજન ઓનલાઈન કરાશે.
On popular demand, ‘Pariksha Pe Charcha 2021’ will also include parents and teachers. It’ll be a fun filled discussion on an otherwise serious subject. I call upon my student friends, their amazing parents and hardworking teachers to take part in #PPC2021 in large numbers.
શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે કહ્યું કે 9-12 ધોરણના વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા તેમની પરીક્ષા શરૂ થતા પહેલાં માર્ચમાં કરાશે. તેઓએ ટ્વિટ કર્યું છે કે વિદ્યાર્થીઓના પરીક્ષાના ટેન્શનને ઘટાવા તેમને પ્રેરણા અને માર્ગદર્શન અપાય, પીએમ મોદીનો સંવાદ માર્ચ 2021માં યોજાશે. તેઓએ કહ્યું કે કોરોના મહામારીના કારણે આ કાર્યક્રમ ઓનલાઈન રહેશે.
ચર્ચા માટે રજિસ્ટ્રેશન ગુરુવારથી શરૂ થયું છે. 14 માર્ચ તેની છેલ્લી તારીખ છે. આ સમયે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે લોકોની માંગ પર પરીક્ષા પે ચર્ચામાં આ વખતે વાલી અને શિક્ષકોને પણ સામેલ કરાશે. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપીલ કરી છે. આ ચર્ચાનું આયોજન ‘mygov.in’પર કરાશે.
5 વિષય પર કરાશે પ્રતિયોગિતા
પહેલો વિષય - પરીક્ષાને તહેવારની જેમ મનાવો
બીજો વિષય - અતુલ્ય ભારત, યાત્રા અને અન્વેષણ
ત્રીજો વિષય - એક યાત્રા સમાપ્ત થાય છે અને બીજાની શરૂઆત થાય છે
ચોથો વિષય- આકાંક્ષાઓ અને તેને પૂરી કરવી
પાંચમો વિષય - આભારી રહો
શિક્ષકોએ લખવાનો રહેશે 1500 શબ્દોનો નિબંધ
ચર્ચામાં ભાગ લેનારા શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ પ્રણાલીના લાભ અને તેને કેવી રીતે સારી બનાવવી તેની પર નિબંધ લખવાનો રહેશે,
વાલીને મળ્યા છે 2 વિષય
1. તમારા શબ્દો તમારા બાળકની દુનિયા બનાવે છે, તેમને પ્રોત્સાહિત કરો જેમકે તમે હંમેશા કર્યું છે.
2. તમારા બાળકોના દોસ્ત બનો, હતાશાથી દૂર રાખો આ વિષય પર બાળકને 100 શબ્દોનો પોસ્ટકાર્ડ લખવાનો રહેશે.