શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનના કેસ પર સેલેબ્સનો મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આર્યન પર ક્રુઝ રેવ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે.
આર્યન ખાન કેસમાં મોટા વળાંક
પરેશ રાવલે આપ્યું શૉકિંગ નિવેદન
રિયા ચક્રવર્તી પર પણ કહી આ વાત
પરેશ રાવલે આપ્યું નિવેદન
બોલીવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલે આર્યન ખાન કેસ પર નિવેદન આપ્યું છે અને કહ્યું કે, જવાન દિકરાને કોઇ કંટ્રોલ ન કરી શકે. બાળકે વિચારવું જોઇએ કે બાપનું નામ ખરાબ ન થાય.
લોકોએ રિયાના કરિયરની...
પોતાના 4 દશકની ફિલ્મી સફર બાદ આ વર્ષે પરેશની ફિલ્મ હંગામા 2 અને તૂફાન આવી હતી. હવે તે હમ દો હમારે દોમાં નજર આવવાના છે. વધુમાં તેમણે કહ્યું કે આર્યન ખાન સાથે શું થયું તેને લઇને હું કોઇ અનુમાન નહી લગાવું, સમગ્ર રિપોર્ટ આવી જવા દો બાદમાં જ કંઇ કહી શકીશું. આ તો નેશનલ ટાઇમપાસ થઇ ગયું છે. સુશાંતના ગયા બાદ જે સર્કસ ટીવી પર ચાલ્યું.. લોકોને મનોરંજન મળ્યું. તેમાં કોઇ રિપોર્ટ આવ્યો નહી અને લોકોએ વાતને રફા દફા કરી દીધી. હું તો તેમ કહીશ કે લોકોએ રિયા ચક્રવર્તીના કરિયરની વાટ લગાવી દીધી.
KRKએ આપ્યું નિવેદન
સેલેબ્સ ટ્વિટ કરી રહ્યાં છે અને KRKએ ટ્વિટ કરીને લખ્યું કે, 'NCB આર્યન ખાનને જેલમાં 20 ઓક્ટોબર સુધી રાખવામાં સફળ થઇ ગઇ છે. મતલબ આર્યન ખાનને નર્ક જોવું પડશે. આશા છે તે આ અસહનીય દર્દને બહાદુરીથી સહન કરી શકે. મારી પ્રાર્થના તેની સાથે છે કારણકે તેના જીવને ખતરો છે.
આર્યન ખાનને જેલની અંદર 11 ઓક્ટોબરે 4500 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પિતા શાહરુખ ખાને મોકલ્યો હતો. આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.