જો કે એવું કહેવું ખોટું નહીં હોય કે પરેશ રાવલે સિનેમાને બદલતા જોયું છે અને તાજેતરમાં નિલેશ મિશ્રા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એમને આ વિશે ખુલીને વાત કરી હતી.
પરેશ રાવલે સિનેમાને બદલતા જોયું છે
હાલ સિનેમા તેના સુવર્ણ કાળમાં છે- પરેશ રાવલ
સ્ટારડમ હંમેશ માટે નહીં રહે...-પરેશ રાવલ
અભિનેતા પરેશ રાવલે હંમેશા પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કરે છે. બૉલીવુડના પીઢ અભિનેતા એક તરફ જ્યાં તે કોમેડીમાં કરીને લોકોને હસાવવામાં માહેર છે તો બીજી તરફ તે વિલનના પાત્રમાં પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. અત્યાર સુધી પરેશ રાવલે ઘણી મહત્વની ફિલ્મોમાં કામ કર્યું છે અને હજુ પણ તેની ઘણી ફિલ્મો આવનારા સમયમાં કતારમાં છે. આ આવનારી ફિલ્મોમાંથી એક છે હેરા ફેરી 3. જો કે એવું કહેવું ખોટું નહીં હોય કે પરેશ રાવલે સિનેમાને બદલતા જોયું છે અને તાજેતરમાં નિલેશ મિશ્રા સાથેના એક ઇન્ટરવ્યૂમાં એમને આ વિશે ખુલીને વાત કરી હતી.
સિનેમા તેના સુવર્ણ કાળમાં છે...
'ધ સ્લો ઈન્ટરવ્યુ' દરમિયાન નીલેશ મિશ્રા સાથે વાત કરતા પરેશ રાવલે કહ્યું હતું કે હાલ સિનેમા તેના સુવર્ણ કાળમાં છે અને તેમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેનું કારણ પ્રેક્ષકો અને પ્રોડક્શન બિહેવીયર છે છે.આ વિશે એમનેકહ્યું હતું કે,'સિનેમા તેના સુવર્ણ યુગમાં છે, હવે અમારી પાસે જે પ્રકારના લેખકો, દિગ્દર્શકો અને અભિનય પ્રતિભા છે એ મુજબ હાલ અમે બધા સુવર્ણ સિનેમાની શરૂઆત કરી છે.નિર્માતાઓની માનસિકતા, સંસ્કૃતિ, નાણા... બધું જ બદલાઈ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ OTT છે.'
દર્શકો પણ આગળ વધી રહ્યા છે....
પરેશ રાવલે આગળ કહ્યું હતું કે, 'આનું મુખ્ય કારણ એ છે કે દર્શકો પણ આગળ વધી રહ્યા છે. હવે ભલે તે OTT હોય કે થિયેટર, પ્રેક્ષકો માત્ર સારા કન્ટેન્ટની પ્રશંસા કરે છે અને જો તે સારું ન હોય તો તેઓ તેને છોડી દે છે. હવે સ્ટાર્સેને પણ એક્ટિંગ કરવી પડશે, અલગ-અલગ રોલ કરવા પડશે.તેઓ એ જ જૂની વસ્તુઓ હવે કરી શકતા નથી.દર્શકોને હવે કન્ટેન્ટ જોઈએ છે અને રસપ્રદ વાત એ છે કે જે પહેલા સ્ટાર્સ હતા તે હવે નથી રહ્યા.દિવ્યેન્દુ સ્ટાર છે, પંકજ ત્રિપાઠી સ્ટાર છે, વિક્રાંત મેસી સ્ટાર છે, જામતારાના કલાકારો સ્ટાર છે.
સ્ટારડમ હંમેશ માટે નહીં રહે...
પરેશ રાવલે સ્ટારડમ વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'જેમ પહેલા થતું એમ સ્ટારડમ હંમેશ માટે ટકી શકશે નહીં.લોકો જ્યાં સુધી સારું કામ કરતા હશે ત્યાં સુધી જ સ્ટાર્સ રહેશે.પહેલા લોકો વિદેશમાંથી સ્ક્રિપ્ટ ચોરી કરતા હતા પણ હવે તેમની ઓફિસ પણ અહીં છે, વકીલો તમને આ કરવા માટે નોટિસ મોકલશે.એટલા માટે અત્યારે આવા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને એ કારણે હવે મૂળ સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે.અમે મૂર્ખ હતા કારણ કે અમારી પાસે સારું કન્ટેન્ટ હતું તો પણ વિદેશી કચરો ઉપાડતા હતા.