પરેશ રાવલનું પ્રખ્યાત પાત્ર બાબુરાવ પ્રસિદ્ધ પાત્રમાંથી એક છે. હેરાફેરીનો ત્રીજો ભાગ બનવાના અહેવાલ પર ગુગલમાં દર્શકો તેને સર્ચ કરી રહ્યાં છે. તો બીજી તરફ આ ફ્રેન્ચાઈઝીના સૌથી મહત્વપૂર્ણ પાત્ર નિભાવનાર પરેશ રાવલ હવે પાત્રમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પરેશ રાવલનું પ્રખ્યાત પાત્ર બાબુરાવ
ખરેખર, પરેશ રાવલને હવે આ પાત્રમાંથી જોઈએ છે છૂટકારો?
પરેશ રાવલે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કરી પોતાના મનની વાત
કહ્યું, ખૂબ ગંદકી થઇ ગઇ હતી
બાબુરાવ આપ્ટે પરેશ રાવલના સૌથી લોકપ્રિય અને સન્માનિત પાત્રમાંથી એક છે. પરેશ રાવલે એક ન્યૂઝ વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમ્યાન ફીર હેરા ફેરી વખતના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે હેરાફેરીના બીજા ભાગમાં જે નિર્દોષતાની ઉણપ હતી તે પ્રથમ ફિલ્મનો સાર હતો.
સુનીલ શેટ્ટીના કર્યા વખાણ
તેમણે વધુમાં કહ્યું કે, આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી એકલા સૌથી પ્રામાણિક વ્યક્તિ હતા અને તેથી તેઓ બીજા ભાગમાં પણ સૌથી અલગ તરી આવ્યા હતા. ઈન્ટરવ્યુ લેનારે તેમને પૂછયુ કે તેમના આ પાત્ર પર સોશિયલ મીડિયામાં ઘણાં બધા મીમ્સ બને છે. લોકો એકબીજાને તેના ડાયલોગની વીડિયો મોકલી ખુશ થાય છે ત્યારે પરેશ રાવલે જવાબ આપ્યો કે આ બધી વસ્તુથી હું થાકી ગયો છું. તેમણે ફિલ્મ સંદર્ભે કહ્યું, હેરા ફેરીમાં શું થયુ? અમે વધુ ઓવરસ્માર્ટ હતા. વધુ હોશિયારી બતાવી રહ્યાં હતા.
હવે ફિલ્મમાં એક નિર્દોષતાની જરૂર
જ્યારે પરેશ રાવલને ફેમસ ફ્રેન્ચાઈઝી હેરા ફેરીના ત્રીજા ભાગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારે પણ હોય ત્યારે એક નિર્દોષતાની જરૂર હોય છે. જે હોતી નથી. ખૂબ ગંદકી થઇ ગઇ છે. ખરેખર કહું તો હવે હું તેનાથી છૂટકારો મેળવવા માંગુ છુ. ઉલ્લેખનીય છે કે, હેરા ફેરી ફિલ્મમાં પરેશ રાવલની સાથે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને પ્રિયદર્શને નિર્દેશિત કરી હતી વર્ષ 2000માં રીલીઝ થયેલી આ ફિલ્મને કલ્ટ ફિલ્મોની શ્રેણીમાં ગણવામાં આવે છે. જ્યારે હેરા ફેરીના બીજા ભાગને નિરજ વોહરાએ નિર્દેશિત કર્યો હતો. જે પહેલા ભાગથી ઓછો રસપ્રદ હતો.