રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે અને બીજી તરફ ભાજપના નેતાઓ રેલીઓ અને માટા કાફલાઓ સાથે પ્રવાસ કરી રહ્યા છે ત્યાર વિપક્ષ નેતા ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર
ભાજપ સરકાર આર્થિક આંકડા છૂપાવતી હોવાનો કર્યો આક્ષેપ
ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું
પરેશ ધાનાણીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં નાણાકીય પ્રબંધન. નાણાકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજા હેઠળ ધકેલાઇ રહ્યું છે. ભાજપ સરકાર આર્થિક આંકડા છૂપાવી રહી છે. ભાજપના શાસનમાં સામાન્ય-મધ્યમવર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.
4 વર્ષથી અર્થતંત્ર પારાવાર મુશ્કેલીઓમાં ધકેલાયું
આ સાથે વિપક્ષ નેતાએ નોટબંધીના નિર્ણયને લઇને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નોટબંધીના અવિચારી નિર્ણય તથા GSTમાં વ્યાપક વિસંગતતા અને અમલીકરણની ખામીના કારણે છેલ્લા 4 વર્ષથી અર્થતંત્ર પારાવાર મુશ્કેલીઓમાં ધકેલાઇ ગયેલ છે.
ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું
કોરોનાના 90 દિવસ દરમિયાન ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું છે. રાજ્ય સરકારની ટેક્સની આવક ઘટી છે. ખુદ નાણામંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ 12 હજાર કોરોડની રકમ બાકી જીએસટી રકમ પેટે પાગી છે.
નાના ઉદ્યોગો મૃતઃ પાયની સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે
ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને અધધ મદદ કરવાની નીતિ અને બીજી બાજુ નાના-મધ્યમકદના ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. તો નાના-મધ્યમકદના ઉદ્યોગો મૃતઃ પાયની સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે.