બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ખોવાયા છે, જડે ઈ જાણ કરજો..' અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીએ ભાજપ નેતાઓ પર સાધ્યું નિશાન
Last Updated: 04:44 PM, 17 January 2025
અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ X પર પોસ્ટ કરી ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે અગાઉની ટ્વીટમાં એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારે હવે વધુ એક ટ્વીટ કરી છે. જેમાં લખ્યું છે કે, ''ખોવાયા છે, જડે ઈ જાણ કરજો''
ADVERTISEMENT
""ખોવાયા છે, જડે ઈ જાણ કરજો""
— Paresh Dhanani (@paresh_dhanani) January 17, 2025
અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી
કલંકિત ઘટનાને આજે 20-20 દિવસ
થયા છતાં ચુંટાયેલા બધા જ ચુપ છે.,
અરે ચપટી વગાડનારા તો ખાલી ચુપ
જ નહી પણ સદંતર ગુમ છે..?
દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે
ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!#નારી_સ્વાભિમાન_આંદોલન pic.twitter.com/brwMKYCXWI
''મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!''
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પત્રકાંડને લઈ પાયલ ગોટીના સમર્થમાં આવ્યા છે અને સતત તેઓ ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ધરણાથી લઈ X પર ટ્વીટનો સતત મારો ચલાવી રહ્યા છે. ત્યારે તેમણે વિરજી ઠુંમરે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવીયા તેમજ જી વી કાકડીયાને લખેલા પત્ર સાથે એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, "ખોવાયા છે, જડે ઈ જાણ કરજો, અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20-20 દિવસ થયા છતાં ચુંટાયેલા બધા જ ચુપ છે. અરે ચપટી વગાડનારા તો ખાલી ચુપ જ નહી પણ સદંતર ગુમ છે..? દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!"
દીકરીનું જુલૂસ નીકળતા વિવાદ
મહત્વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું જુલૂસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બોલો લ્યો! હોટલ માલિક સહિત 4 લોકોએ ગ્રાહક પર કર્યો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
શું છે ઘટનાક્રમ ?
કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.