અમરેલીઃ આજે ગુજરાત સરકાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે તે પૂર્વે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી નેતાએ કહ્યું કે સરકાર ડિસેમ્બરના છેલ્લા ક્વાર્ટરના પાણીના આંકડા રજૂ કરે. સરકારે પાણીનો વ્યય કર્યો છે. ચૂંટણીમાં લાભ લેવા પાણીનો વ્યય કર્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે સરકાર 22 વર્ષ વાયદાઓનો વેપાર કરવામાં સફળ રહી છે. સરકાર પ્રજાની તિજોરીને તાયફાઓમાં ખર્ચ કરે છે. ખેડૂતોને પાણી મળે નાના ઉદ્યોગોને સહાય મળે. ખેડૂતો પાસે 25 લાખ ટન મગફળી પોષાકક્ષમ ભાવના અભાવે પડી છે. ગુજરાતમાં બેટી બચાવો અભિયાન નિષ્ફળ નિવડ્યું. આ સરકારમાં મહિલાઓ પર થતા અત્યાચારમાં વધારો થયો છે.
કેગનો રિપોર્ટ અંતિમ સત્રમાં નહીં પરંતુ શરૂઆતના દિવસોમાં રજૂ થાય. નલિયા કાંડ બાબતે સરકારે તપાસ પંચનું નાટક રચ્યું. આમ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.