સુરતમાં ભટાર રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગનો મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા,. તેમણે જણાવ્યું કે, સુરતની એક ઘટના ભુલાઈ નથી ત્યારે બીજી ઘટના બની છે. ભટારમાં બનેલ ઘટનાથી 250 બાળકોના જીવ જોખમમાં મુકાયો હતો. તેમ છતા તંત્રના પેટનું પાણી પણ હલ્યું ન હતું. સરકારની બેદરકારીને કારણે બાળકોના જીવ જોખમમાં મુકવાનો ખેલ ચાલી રહ્યો છે.