સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં આગામી આદેશ સુધી કાયદાના અમલીકરણ પર સ્ટે રહેશે. આગામી આદેશ સુધી નવા કાયદા લાગુ નહીં થાય. આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પોતનું નિવેદન આપ્યું હતું
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બોલ્યાં ધાનાણી
'ખેડૂત વિરોધી કાયદા પર SCએ રોક લગાવી'
'ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ'
મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા આવી છે જેમાં પરેશ ધાનાણીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે, ભાજપે ગેરબંધારણીય રીતે પસાર કરેલા કાયદા પર સુપ્રીમે રોક લગાવી છે. ભાજપના ખેડૂત વિરોધી કાયદાને રોકવો જરૂરી હતો. અને સુપ્રીમે એક સારુ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. લોકો દ્વારા ચુંટાઈ આવેલા લોકો જ્યારે એ જ લોકો વિરૂદ્ધ કાયદો લાવે તો શું થાય? મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ. જો કે સુપ્રીમકોર્ટે લગાવેલી રોક આ કાળા કાયદાને રોકવા માટે પર્યાપ્ત નથી.
શું કહે છે સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર સ્ટે લગાવી દીધો છે. ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી. જેમાં સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં આગામી આદેશ સુધી કાયદાના અમલીકરણ પર સ્ટે રહેશે. આગામી આદેશ સુધી નવા કાયદા લાગુ નહીં થાય.
કમિટીનું ગઠન કરાયુ
સુપ્રીમ કોર્ટ દ્વારા આજે કૃષિ કાયદાઓને બીજો આદેશ ના થાય ત્યાં સુદી સ્ટે આપી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 4 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી, ભારતીય કિસાન યુનિયનના ભૂપેન્દ્રસિંહ માન, ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડો.પ્રમોદ જોશી, તથા શેતકારી સંગઠન, મહારાષ્ટ્રના અનિલ ધનવંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટીના સભ્યો સરકાર તથા ખેડૂતો સાથે વાતચીત કરી આનો નીવેડો લાવશે. જો કે સુપ્રિમના સ્ટે આપ્યા બાદ તુરંત જ કિસાન નેતા રાકેશ ટિકેત દ્વારા આંદોલન ચાલુ રાખવાની વાત કરી સુપ્રીમના નિર્ણય પર કમિટી જોડે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું. આમ સુપ્રીમના સ્ટે બાદ હવે ખેડૂતો શું નિર્ણય લેશે તેની પર સમ્રગ દેશ નજર રાખીને બેઠું છે.
કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટની રોક બાદ રાકેશ ટિકૈતનું નિવેદન
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી દીધી છે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર રોક લગાવી છે. ત્યારે કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલું જ રહેશે. હજુ પણ અમારૂં આંદોલન ચાલું રહેશે. સાથે જ કહ્યું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરીશુ. સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની એક કમિટીની રચના કરી છે. જે કમિટી સુપ્રીમ કોર્ટને કાયદા અંગે રિપોર્ટ સોંપશે.