ગાંધીનગરઃ FSI મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ધાનાણીના જણાવ્યા પ્રમાણે ભાજપે ખાનગી બિલ્ડરોને ટીપી 29-1 મુજબ આચાર સંહિતા પહેલા જ FSI ફાળવી દીધી હતી. અંદાજીત 56 જેટલા ઓર્ડરો કરી ખાનગી બિલ્ડરોને વધારાની FSI ફાળવી દીધી હતી.
ધાનાણીએ વધુમાં જણાવ્યું કે FSI અંગે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રજૂઆત પણ કરી હતી. પરંતુ સરકાર આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી શકી નથી. સરકારે FSIની માત્ર 20 ટકા જમીન જ ગરીબો માટે ફાળવી છે.
જ્યારે બાકીની જમીન પોતાના મળતીયાઓને રસ્તામાં પધરાવી દીધી છે. ભાજપ સરકારે પોતાના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે ગરીબોના મોઢેથી અન્નનો કોળિયો છીનવ્યો છે. પરંતુ આ મુદ્દે કોંગ્રેસ આગામી આક્રમક કાર્યક્રમો યોજી આ મામલાની નિષ્પક્ષ તપાસની માગ કરશે.