ગુજરાત સરકાર વાર તહેવારે પરીક્ષાઓ રદ કરી દે છે, અરે ભરતીઓ પણ રદ કરી દે છે ત્યારે સવાલ થાય કે લાખો ઉમેદવારો કેટ કેટલી આશાઓ સાથે ભરતી પરીક્ષાઓ આપતા હોય છે? આ પરીક્ષાઓ પાછળ સરકાર પણ કેટલો ખર્ચ કરતી હોય છે ત્યારે આવી રીતે ભરતીઓ રદ કરીને સરકાર બેરોજગારીની સમસ્યાને ઉકેલવાની જગ્યાએ વધુને વધુ ગુંચવી રહી છે. ગુજરાતના યુવાનોને ખરા અર્થમાં હાલ રોજગારની જરૂરિયાત છે.
પાંચ વર્ષમાં 28 ભરતીઓ રદ કરવામાં આવી
વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષાદીઠ વસૂલાય છે ખર્ચ
બેરોજગારીને હવા આપી રહી છે સરકાર
તાજેતરમાં જ બિનસચિવાલયની પરીક્ષાને રદ કરવામાં આવતા ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણીએ અને પરીક્ષાઓ રદ થવા મામલે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. આ મામલે પરેશ ધાનાણીએ CM રૂપાણીને પત્ર લખીને સવાલો પૂછ્યો છે કે, ભરતીઓ રદ કરવી કેટલી યોગ્ય છે?
છેલ્લા પાંચ વર્ષમાં 28 પરીક્ષાઓ રદ કરાઇ
પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર ચેડાં કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 28 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ પરીક્ષાઓ રદ થવાને કારણે લાખો પરીક્ષાર્થીઓની આશા ઉપર પાણી ફરી વળ્યાં છે. ઉમેદવારો વર્ષોની તૈયારીઓ કરીને તેમની આશાઓ ઉપર પાણી ફરી વળે છે.
વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે ફી
વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા માટે 100થી 500 રૂપિયા ફી ઉઘરાવાય છે. વિદ્યાર્થીઓ પૈસા ખર્ચી અને પરીક્ષા આપે છે. પરંતુ કૌભાંડથી સાચા વિદ્યાર્થીઓને તક નથી મળતી. પરેશ ધાનાણીએ કહ્યું કે ભરતીઓ રદ થવાથી બેરોજગારી વધી રહી છે.
પરેશ ધાનાણીએ પરીક્ષાઓ રદ્દ થવા મામલે ઉઠાવ્યા સવાલ
પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. કેમ રૂપાણી સરકાર ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે? લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથેની રમત ગુજરાત સરકાર માટે યોગ્ય નથી.