શ્રમિકોને વતન મોકલવા મામલે સરકારનું ભેદી મોન અને વિપક્ષનો પ્રયાસ બેમાંથી એકેય હાલ તો કારગત નથી લાગતા. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ખાસ મુલાકાત કરીને કોંગ્રેસનો પ્લાન જાણવાની કોશિશ કરતા જાણવા મળ્યુ કે સરકાર કેટલોક ટેડા પોતે જ છુપાવી રહી છે અથવા તો તેમની પાસે સંકલનનો અભાવ છે જ્યારે બીજે પક્ષે પરેશ ધાનાણી પાસે પણ એડી ચોટીનું જોર લગાવ્યા છતાં હજુ સુધી કોઈ ખાસ પ્લાન નથી.