કેન્દ્રમાં આજરોજ જ્યારે કૃષિ વિધેયક રાજ્યસભામાં આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારની આ બિલને રાજ્યસભામાં પાસ કરાવાને લઇને અગ્નિ પરિક્ષા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોની સહાય મુદ્દે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ખેડૂતોને સહાય મુદ્દે પરેશ ધાનાણીના સરકાર પર આક્ષેપ
ખેડૂતોની ચિંતાના સરકારના દાવા ખોટા
સહાયના નામે ખાનગી કંપનીઓ નફો રળે છે
વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને સહાય મુદ્દે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું કે સરકારે ખેડૂતો માટે છેલ્લા 10 વર્ષમાં માત્ર 20 કરોડ ફાળવ્યા છે. ખેત ઉત્પાદન અને સાધન પર કરથી સરકારને વ્યાપક આવક થઇ છે.
કોંગ્રેસ નેતાએ સરકાર પર આરોપ મુકતાં કહ્યું કે 47 હજાર 251 કરોડની આવક સામે બજેટમાં 47 હજાર 272 કરોડ આપ્યા છે. સરકાર ખેડૂતોની ચિંતાના ખોટા દાવા કરી રહી છે.
વિપક્ષના નેતાએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 10 વર્ષમાં કૃષિ કરથી જેટલી આવક થઇ તેટલી ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો અને સહાયના નામે ખાનગી કંપનીઓ નફો રળે છે. સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે. ખેતી અને ખેડૂતો વિનાશના આરે છે. સરકાર યોજનાઓ જાહેર કરે છે પણ પુરતા નાણાં ફાળવતી નથી.