રાજકોટઃ જસદણ બેઠકના પરિણામ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કુંવરજી બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે અમે જનાદેશને આવકારીએ છીએ. સરકારે જસદણની ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હતો. જસદણની ચૂંટણીમાં રાજકીય કિન્નખોરી અને સત્તાને સમર્થન મળ્યું હતું. કોંગ્રેસનાં નેતા અને કાર્યકરો સ્વાભિમાનની લડાઈ લડતા હતા.
આ ઉપરાંત સરકાર પર પ્રહાર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારને કારણે ગામડું મોતના મોમાં ધકેલાઈ રહ્યું છે. સરકારે બેકાર યુવાનોની મજબૂરીનો લાભ લીધો છે.
ઈવીએમ અંગે પુછવામાં આવતા ધાનાણીએ જણાવ્યું કે EVM માનવસર્જિત મશીન છે તેમાં બધુ જ શક્ય છે. અભિમાની સરકાર સામે સ્વાભિમાનીઓનો પરાજય થયો. કુંવરજીભાઇએ કેબિનેટમાં જવા માટે કાર્યકરોના સ્વાભિમાન ગીરવે મૂક્યા.