વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. અમરેલીમાં પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં પરેશ ધાનાણી ધરણાં પર બેઠા હતા. અમરેલીમાં રાજકમલ ચોકમાં ધાનાણી કાર્યકર્તાઓ સાથે ધરણા પર બેઠા હતા. આથી ધરણા પર બેઠેલા ધાનાણીની અટકાયત કરવામાં આવી છે.
ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનને લઈને 17 જુલાઈ બુધવારના સોનભદ્ર ગામમાં સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 19 જુલાઈના શુક્રવારે સોનભદ્રમાં પીડિત પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા.
જો કે નારાયણપુરમાં તેમનો કાફલો રોકવામાં આવ્યો હતો. પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. આથી પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં અમરેલીમાં પરેશ ધાનાણી ધરણાં પર બેઠા હતા. જો કે પરેશ ધાનાણીની પણ અટકાયત કરાઈ છે.
પોલીસે ગઈકાલે કરી હતી પ્રિયંકાની અટકાયત
સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં. ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં. પોલીસ દ્વારા પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી. તેઓ ગઈ કાલ બપોરથી ધરણા પર બેઠા હતા. આખી રાત પોતાના કાર્યકરો સાથે ધરણા પર બેસી રહ્યાં હતા.
સરકારને જે કરવું હોય તે કરે: પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારે જે કરવું હોય તે કરે મારે પીડિતો સાથે મુલાકાત કરવી છે. મહત્વનું છે કે, યૂપીના સોનભદ્ર ગામમાં સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલો ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનનો છે. હવે આ મામલો રાજકીય રંગ લઇ રહ્યો છે.