કોરોનાના વધતાં જતાં સંક્રમણ વચ્ચે સુરત અને જામનગરથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. બંને જિલ્લામાં વેક્શિનનો જથ્થો ખુટતાં તરૂણોના વેક્સિનેશન અભિયાન પર બ્રેક લાગી છે
સુરત અને જામનગરમાં તરૂણોનું વેક્સિનેશન બંધ
રસીનો જથ્થો ખુટી જતાં અભિયાન પર બ્રેક લાગી
અભિયાનમાં બ્રેક લાગતા વાલીઓમાં ચિંતત
જામનગરમાં કિશોર વેકસીનેશન અભિયાન પર બ્રેક
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જામનગરથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં તરૂણોના વેક્સિનેશન અભિયાનમાં બ્રેક લાગી છે. જામનગરના 12 કેન્દ્રો પર તરૂણોનું વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે.જિલ્લામાં કોવેક્સિનના જથ્થાની અછત સર્જાવાના કારણે આ વેક્સિનેશનની કામગીરી બંધ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તરૂણોના વેક્સિન અભિયાનમાં બ્રેક લાગતા વાલીઓમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે.
અભિયાનમાં બ્રેક લાગતા વાલીઓમાં ચિંતત
બીજી તરફ સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટતાં વેક્શિનેશન અભિયાન પર બ્રેક લાગી છે. ઉલ્લેખનયી છે કે, સુરતમાં 1.91 લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવનો ટાર્ગેટ હતો. સુરતમાં અત્યાર સુધીમાં 40 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે. આમ આજે સુરતમાં વેક્શિનનો જથ્થો ખુટતાં વિદ્યાર્થીઓને વેક્સિન નહીં અપાય