આ મામલામો જુલાઈનો છે પરંતુ શનિવારે ફોરેન્સિક રિપોર્ટ સાને આવવા પર ખુલાસો થયો કે પરિવારનું મોત રાતના ભોજનમાં આપેલા ઝેરથી થઈ છે.
યુવતીએ ભેદભાવથી પરેશાન થઈ ભર્યું આવું પગલું
ભોજનમાં ઝેર નાખીને પરિવારને આપ્યુ
પરિવારના સદસ્યોનું મોત
કર્ણાટકના દાવનગરેમાં એક યુવતીએ ભેદભાવથી પરેશાન થઈને પોતાના આખા પરિવારના ભોજનમાં ઝેર મિક્ષ કરી દીધુ. જેના કારણે તેના માતા-પિતા, નાની બહેન અને દાદીની મોત થઈ ગઈ હતી. જોકે આ બધામાં તેનાથી મોટા ભાઈ બહેનના જીવ બચી ગયા છે. આ મામલામો જુલાઈનો છે પરંતુ શનિવારે ફોરેન્સિક રિપોર્ટ સાને આવવા પર ખુલાસો થયો કે પરિવારનું મોત રાતના ભોજનમાં આપેલા ઝેરથી થઈ છે. જેને 17 વર્ષની યુવતીએ બનાવ્યું હતું. તેને લાગતું હતું કે તેનો પરિવાર તેની સાથે દુર્વવ્હાર કરી રહ્યો છે.
ભોજનમાં કર્યું ઝેર મિક્ષ
ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુવતીએ 12 જુલાઈની રાતે ભોજનમાં ઝેર મિક્ષ કરીને પોતાના ઘરને ખવડાવી દીધુ હતું. ત્યાર બાદ 80 વર્ષના દાદી, 45 વર્ષના પિતા અને 40 વર્ષના માતા, 16 વર્ષની એક બહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેનું માત થઈ ગયું. જોકે ભાઈનો જીવ બચી ગયો.
પોલીસે જણાવ્યું કે 17 વર્ષની યુવતી રાધિકા પોતાની નાના-નાનીના ઘરે ભણવા ગઈ હતી. ત્રણ વર્ષ પહેલા તે પોતાના માતા-પિતાની સાથે શિફ્ટ થઈ જેમનું ઘર ત્રણ ઘર છોડીને છે. બન્ને પરિવાર એક જ ગામમાં રહે છે. પોલીસે જણાવ્યું કે યુવતીને સતત લાગતું હતું કે તેની નાનીના ઘર પર વધારે પ્રેમ મળે છે અને તેના માતા-પિતા તેના ભાઈ-બહેનને લધારે પ્રેમ કરતા હતા.
દરરોજ થતા હતા ઝગડા
યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના ઘરના લોકો તેને દરરોજ ધમકાવતા હતા અને મારતા હતા. કામ કરવા માટે તેને ખેતરમાં મોકલતા હતા. પોલીસે જણાવ્યું કે જ્યારે તે પોતાના માતા-પિતાના ઘરે આવી તો આઠમાં ધોરણમાં તેનું એડમિશન કરાવવામાં આવ્યું. પરંતુ તે સારી રીતે અભ્યાસ ન હતી કરી હતી. જેને લઈને દરરોજ ઝગડા થતા હતા. પોતાના માતા-પિતાના વ્યવહારથી પરેશાન થઈને તેને તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો.