ઉત્તર પ્રદેશના બરેલીમાં શનિવારે હાર્ટમૈન કોલેજ પ્રશાસને ફી નહીં જમા કરવા પર લગભગ 35 વિદ્યાર્થીઓને એક્ઝામ આપતા રોક્યા હતા અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા હતા
કોલેજની દાદાગીરી સામે આવી
ઉત્તર પ્રદેશમાં કોલેજ વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા
પોલીસ, પ્રશાસન અને શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી
ઉત્તર પ્રદેશના બરેલીમાં શનિવારે હાર્ટમૈન કોલેજ પ્રશાસને ફી નહીં જમા કરવા પર લગભગ 35 વિદ્યાર્થીઓને એક્ઝામ આપતા રોક્યા હતા અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા હતા.આ મામલે વાલીઓની ફરિયાદ પર પોલીસે વિદ્યાર્થીઓને મુક્ત કરાવ્યા હતા. પણ પોલીસ, પ્રશાસન અને શિક્ષણ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
વાલી સંઘે કોલેજ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો
સ્કૂલ પ્રશાસન પર કાર્યવાહી ન કરવાના કેસમાં પોલીસ પ્રશાસનનું કહેવુ છે કે, વાલીઓ તરફથી કોઈ ફરિયાદ આવી નથી, પણ વાલીઓના બાળકોનું એક વર્ષ ખરાબ ન થાય, એટલા માટે બચી રહ્યા છે. પણ હવે બરેલી વાલી સંઘે હાર્ટમૈન કોલેજ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મોર્ચો ખોલ્યો છે.
શાળા પ્રશાસને વિદ્યાર્થીઓને ટોયલેટ જતાં પણ રોક્યા
રવિવાર સાંજે વાલી સંઘે હાર્ટમૈન કોલેજ પાસે આવેલા મોલમાં બેઠક બોલાવી હતી. તેમાં વાલી સંઘના પ્રદેશ અધ્યક્ષ અંકુર સક્સેનાએ કહ્યું કે, કોઈ પણ કારણ હોય શાળાને અધિકાર નથી કે, તેઓ બાળકને બંધક બનાવીને સ્કૂલમાં રાખે, તેમના પર અમાનવીય વ્યવહાર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે. તે ખોટું છે. બાળકોને ટોયલેટ જતાં પણ રોકવામાં આવ્યા હતા.
કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન કરીશું
વાલી સંઘે પ્રશાસનિક અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ મળીને કાર્યવાહીની માગ કરશે. ત્યાર બાદ વાલીઓની માગ પર કાર્યવાહી ન થવા પર આંદોલનની ચેતવણી આપી દીધી છે. તેમનું કહેવુ છે કે, કોલેજના ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધાવો જોઈએ. વાલી સંઘે કહ્યું કે, અમે વાલીઓ સાથે છીએ, અને તેના પર જો કાર્યવાહી નહીં થાય તો આ મામલે શહેરથી લઈને રાજ્યભરમાં અવાજ ઉઠાવવામાં આવશે.