ઝારખંડના પરસૂડીહના બારીગોડામાં એક 4 વર્ષિય બાળકી ધિતિકા મહોતાના પિતાએ ઢોર માર મારીને પતાવી દીધી હતી.
સગી દિકરી માટે પિતા બન્યા હૈવાન
4 વર્ષિય બાળકીને પિતાએ મારી નાખી
ભણતી ન હોવાથી દોરડા વડે બાંધી 1 કલાક સુધી મારી
ઝારખંડના પરસૂડીહના બારીગોડામાં એક 4 વર્ષિય બાળકી ધિતિકા મહોતાના પિતાએ ઢોર માર મારીને પતાવી દીધી હતી. હત્યા બાદ લાશને 40 કિમી દૂર ગાલૂડીહ રેલ્વે સ્ટેશન પાસે જઈને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. સૂચના મળતા પોલીસે પિતા અને માતા બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરતા ઘટનાનો ખુલાસો થયો હતો. પિતાએ જણાવ્યું હતું કે, દિકરી ભણતી નહોતી, એટલા માટે તેને બાંધીને મારી હતી, જેના કારણે તેનું મોત થઈ ગયું.
પોલીસે બંને પાસેથી વિગતો જાણીને ગાલૂડીહ સ્ટેશન નજીકથી લાશ જપ્ત કરી હતી. મજિસ્ટ્રેટની હાજરીમાં ડેડબોડીને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. બાળકીના માતા-પિતાને પોલીસે ધરપકડ કરી લીધા છે. બંને બોડામના કદમજોડા નિવાસી છે. બારીગોડામાં ભાડાના મકાનમાં રહે છે. પરસૂડીહના બારીગોડામાં પોતાની દિકરીની હત્યા કર્યા બાદ આરોપી સંગ પત્ની ગાયબ થઈ ગઈ હતી. પાછા આવતા પાડોશીની ફરિયાદ પર પોલીસ પહોંચી તો આખા પ્રકરણનો ખુલાસો થયો.
હાથ પગ બાંધીને કલાક સુધી મારતો રહ્યો પિતા
પોલીસના જણાવ્યા અનુસાર 4 જૂલાઈની રાતે 8 વાગ્યે પોલીસને વિગતો મળી હતી કે, બારીગોડામાં આવેલા રામ ગણેશ સિંહના મકાનમાં ભાડે રહેતા ઉત્તમ મૌતીએ પોતાની પત્ની અંજના નહોતા સાથે 29 જૂને પોતાની દિરકી ધિતિકાને દોરડા વડે બાંધીને કલાક સુધી મારી હતી. જે બાદ તેનું મોત થઈ ગયું હતું. હત્યા કર્યા બાદ લાશને જાણી જોઈને છુપાવી દેવામાં આવી હતી. 29 જૂનથી તેઓ ઘરેથી ગાયબ હતા. પણ 4 જૂલાઈએ અચાનક દિકરીને લીધા વિના પાછા આવ્યા. પાડોશીઓને શંકા જતા રાતના 9 કલાકે પોલીસને બોલાવી. જ્યાં પોલીસે આવીને તેમની સાથે પૂછપરછ કરી. પહેલા તો તેમણે કહ્યું કે, દિકરીની તબિયત ખરાબ હતી એટલા માટે તેનું મોત થઈ ગયું. બિમારી બાદ તેઓ ઝાડગ્રામ ઈલાજ કરવા માટે લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ જતાં તેને દફનાવી દીધી.
પોલીસે કડકાઈ બતાવી તો ખુલાસો કર્યો
પોલીસને પાડોશીઓથી ખબર મળી હતી કે, દિકરી સાથે ખૂબ મારપીટ કરી હતી. પોલીસે જ્યારે બંને સાથે કડકાઈ સાથે પૂછપરછ કરી તો તેમણે રહસ્યો ખોલ્યા. તેમણે કહ્યું કે, તેમની દિકરી ભણતી નહોતી. જેના કારણે તેના હાથ અને પગમાં દોરડુ બાંધીને એક કલાક સુધી મારી હતી. આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ લાશને ટેમ્પોમાં નાખીને હોસ્પિટલ લઈ ગયા, જો કે, તેમને ડર લાગ્યો કે, ડોક્ટર પાસે જવાથી પકડાઈ જઈશું. તેથી ત્યાંથી ભાગીને તેઓ સાલગાઝુડી રેલ્વે ફાટક પર આવ્યા, ત્યાંથી ટ્રેન પકડીને ગાલૂડીહ જતા રહ્યા. ગાલૂડીહ સ્ટેશન પાસે પોતાની દિકરીની લાશ જાડી જાખરામાં ફેંકી દીધી. લાશ ફેંકી દીધા બાદ તેઓ બોડામના કદમજોડા આવતા રહ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. તેમનો પ્લાન હતો કે, આ મહિને તેઓ બારીગોડાવાળુ મકાન ખાલી કરી દેશે. પણ કપડા નહોતા. તેથી કપડા લેવા માટે બારીગોડા આવ્યા હતા, જેની જાણ પાડોશીઓને થતાં તેમણે સૂચના આપી અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી. પોલીસે પતિ -પત્ની બંનેની ધરપકડ કરી લીધી છે, પોલીસને શંકા છે કે, દિકરીના પતિએ નશાની હાલતમાં આ કામ કર્યું છે.