અમદાવાદ કોર્ટે પ્રથમ વખતે ભરપોષણના કેસમાં એવું ચુકાદો આપ્યો કે તમે સ્તબ્ધ રહી જશો. 60 હજારના પગારની નોકરી છોડી ઈસ્કોન સંપ્રદાયના હરેકૃષ્ણ મંદિરમાં સાધુ બનેલાં યુવાનને કોર્ટે માતા-પિતાને ભરપોષણ આપવાનો આદેશ કર્યો છે. સંન્યાસી બની પરિવારની જવાબદારીમાંથી મુક્ત થઈ શકાતું નથી એવું કોર્ટે નોંધ્યું હતું
માતા-પિતાને છોડી સાધુ બનનાર યુવાનો સામે કોર્ટનું લાલઆંખ
સાધુને 10 હજાર ભરણ પોષણ આપવાનો કોર્ટનો આદેશ
સંન્યાસી થયા એટલે પરિવારની જવાબદારીથી ભાગી ના શકાય
અમદાવાદ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો
રિસર્ચ સાયન્ટીસ્ટ તરીકે અમદાવાદની એક ફાર્મ કંપનીમાં 60 હજાર પગાર સાથે કામ કરતાં યુવાને એકાએક નોકરી છોડી ઈસ્કોન સંપ્રદાયના હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે સંન્યાસ લેનાર યુવાન સામે અમદાવાદ ફેમિલી કોર્ટે લાલઆંખ કરી છે. સાધુ બની માતા-પિતાને તરછોડી દેનાર યુવાનને જીવનનિર્વાહ માટે 10 હજાર રૂપિયાનું ભરણપોષણ આપવાના આદેશ કર્યા છે.
કોર્ટે દિકરાને દર મહિને ભરણપોષણ માટે જણાવ્યું
અમદાવાદ ફેમિલી કોર્ટનો ચુકાદો માતા-પિતાને તરછોડી દેનારા દિકરાઓ માટે ઉદાહરણ સમાન છે. જેમાં કોર્ટના આદેશ બાદ હવેથી દીકરો માતા-પિતાને દર મહિને 10 હજાર રૂપિયાનું ભરણ-પોષણ આપશે.
માતા-પિતાની જવાબદારીમાંથી દિકરો છટકી ન શકે
માતા-પિતાને દર મહિને 10 હજાર રૂપિયાનું આપવાના આદેશ બાદ કોર્ટે જણાવ્યું કે સન્યાસી દીકરો માતા-પિતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવ્યાબાદ દીકરો હરેકૃષ્ણા મંદીરમાં સાધુ બન્યો હતો.
મંદીરમાં સાધુ બનતા માતા-પિતાની થઇ હતી કફોડી સ્થિતિ
ફેમિલી કોર્ટના મહત્વના નિર્ણયમાં સાધુ થયેલા દીકરાને માતા-પિતાનું ભરણપોષણ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ હરેકૃષ્ણા મંદીરમાં સાધુ બન્યો હતો. દીકરો સાધુ બનતા પરિવારની હાલત કફોડી બની હતી. જેને લઇને માતા-પિતાએ કોર્ટમાં અરજી કરી હતી. આમ હવે કોર્ટ માતા-પિતાના તરફેણમાં ચુકાદો આપ્યો છે.