સુરતના કેબલબ્રિજ નીચે બાળક ત્યજીને જનાર માતા-પિતાની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આ બાબતે માતા-પિતાએ જણાવ્યું હતું કે આર્થિક સંકડામણને કારણે બાળક ત્યજી દીધું હતું.
માતા-પિતાએ આર્થિક સંકડામણને કારણે બાળક ત્યજ્યું હોવાનું કબૂલ્યું
19 ડિસેમ્બરના રોજ માતા-પિતાએ બાળકને ત્યજી દીધું હતું
સુરતના કેબલબ્રિજ નીચે બાળક ત્યજીને જનાર માતા-પિતાની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આ બાબતે માતા-પિતાએ જણાવ્યું હતું કે આર્થિક સંકડામણને કારણે બાળક ત્યજી દીધું હતું. 19 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટના બની હતી. અડાજણ કેબલબ્રિજ નીચે બાળકને ત્યજી માતા-પિતા ફરાર થઈ ગયા હતા. બ્રિજ નીચે બાળક પડ્યું હોવાની જાણ પોલીસને કરતા પોલીસે માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પોલીસે CCTVના આઘારે બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી.
બાળકને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો
સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રિજ પાસે કોઈ દંપતિ 2 મહિનાના બાળકને ત્યજીના ચાલ્યા ગયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીની નજર 2 મહિનાના બાળક પર પડતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકને તરછોડનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે. હાલમાં તો પોલીસની શી ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે અને બાળક હોસ્પિટલમાં ICU માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું.
ત્યજી દેવાયેલ બાળકને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર
સુરતમાં બાળકી ત્યજી દેવાયેલી બાળકી મળી આવવા મામલે સમાજના અગ્રણી મહેશ સવાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ત્યજી દેવાયેલી બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર છે. ત્યારે હાલ પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત, મા બાપ ગુજરી ગયા હોય તેવા 71 બાળકીઓને જનનીધામના નેજા હેઠળ દત્તક લેવાઈ છે. તેમજ બાળકીઓને રહેવાથી લઈ ભણવાની તમામ સવલતો આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ત્યજી દેવાયેલા બાળકના મા-બાપ મળી આવે તો તેને સોંપવું ન જોઈએ તેમ મહેશ સવાણીએ કહ્યું હતું.