કોઇ પણ માતા-પિતા તેવું જ ઇચ્છે કે તેમના બાળકો ખૂબ સારુ ભણે અને મોટા થઇને આગળ આવે.
બાળકોના વિકાસમાં રાખો આ ધ્યાન
આ પ્રકારનું વર્તન બાળક સાથે ન કરો
બાળક સામે ક્યારેય જુઠ્ઠુ ન બોલવુ
તેમને ભણાવવાની પ્રક્રિયામાં તે બને એટલુ ધ્યાન આપે છે અને બાળકોને સક્ષમ બનાવે છે પરંતુ ઘણી વાર એટલી બારીક ભૂલો થાય છે કે બાળકોના વિકાસ પર ખરાબ અસર થાય છે. બાળકો ખૂબ સંવેદનશીલ હોય છે આવામાં તેમની નાની નાની વાતનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી બની જાય છે.
બાળકોની વાતો ધ્યાનથી સાંભળો
ભારતીય પરિવારોમાં બાળકોને કંઇ પણ કહેવાની તક ભાગ્યે જ મળતી હોય છે. વધારે પડતા કિસ્સામાં માતા-પિતા કહે તે જ બાળકોને કરવુ પડતુ હોય છે. બાળકોની ઇચ્છા, પસંદ-નાપસંદ શું છે તે સમજવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. આ પ્રકારની બાબતોનો અસર બાળકની પર્સનાલિટી પર થતો હોય છે.
દરેક બાબતે ટોકવું
મોટાભાગના પેરેન્ટ્સ તેમના બાળકોને દરેક બાબતે ટોકે છે. નાની નાની વાતો પર તેમની પૂછપરછ કરવામાં આવે છે, જેથી બાળકોને લાગે છે કે તેમને કોઇ પણ પ્રકારની આઝાદી નથી. સાથે જ માતા-પિતા પર તેમનો ભરોસો પણ ઓછો થવા લાગે છે. જેથી બાળકો નેગેટિવ થઇ જાય છે.
બાળકોને વઢવુ
એવા પેરેન્ટ્સની કમી જ નથી કે જે નાની નાની વાતે બાળકોને વઢવા લાગે. કેટલાક પેરેન્ટ્સ તો ગુસ્સામાં આવીને હાથ પણ ઉપાડી દેતા હોય છે. આ પ્રકારનુ વર્તન કર્યા કરતા તેમને સમજાવવા જોઇએ. જેથી બાળકોનો ભરોસો જીતી શકાય.
બાળકો સામે જુઠ્ઠુ ન બોલો
બાળકો સામે ક્યારેય જુઠ્ઠુ ન બોલવુ જોઇએ, આવુ કરવાથી તેમનો તમારા પરથી ભરોસો ઉઠી શકે છે. સાથે જ બાળકો પણ ખોટુ બોલતા શીખી જશે. બાળકો સામે ક્યારેય ઝઘડો ન કરવો જોઇએ, આવુ કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે.
બાળકો પર વધારે પાબંધી ન લગાવો
બાળકો પર વગર કામના રિસ્ટ્રિક્શન ન લગાવવા જોઇએ, સાથે જ એ બાબત પર પણ ધ્યાન આપતા રહો કે તમારા બાળકના મિત્રો કેવા છે અને તે કોઇ ખરાબ આદત નથી શીખી રહ્યું ને. આ પ્રકારની બાબતોનુ હંમેશા ધ્યાન રાખવું જોઇએ. વધારે પડતા રિસ્ટ્રિક્શન લગાવવાથી બાળકની ક્રિએટીવીટી પર અસર પડે છે.