લવજેહાદ જે સમાજનો સળગતો મુદ્દો છે. આ મુદ્દે સરકારે કાયદો પણ બનાવ્યો. જોકે હવે પાટીદાર સમાજે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. અને માતા-પિતા, વડીલોને ચેતવણી આપી છે.
લવજેહાદ સામે એક્શન
પાટીદાર સમાજ છે ચિંતિત
સમાજના અગ્રણીએ આપી ચેતવણી
ગુજરાતમાં લવ જેહાદના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોભ-લાલચ, બળજબરી પૂર્વક કે પ્રેમજાળમાં ફસાવીને કોઈ એક ધર્મની યુવતીને અન્ય ધર્મના યુવક ફસાવી રહ્યા છે. આવી પ્રવૃત્તિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે લવ જેહાદ વિરુદ્ધ એક કાયદો પણ બનાવ્યો છે. છતાં સમાજમાં વધી રહેલા આવા કેસને પગલે પાટીદાર સમાજે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે ચિંતા વ્યક્ત કરી. તેમણે લવ જેહાદને સમાજનો સળગતો પ્રશ્ન ગણાવ્યો. પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. જે મુદ્દે સમાજે ચેતવાની જરૂર છે.
સુરતમાં લવજેહાદ સહિતની 300 ફરિયાદ
આર.પી. પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીઓ જેહાદી પ્રવૃતિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય. તો સમગ્ર ગુજરાતમાં શું સ્થિતિ હશે. આ પૂર્વે પણ આર.પી. પટેલે મુખ્યમંત્રીને દીકરીના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા આવેદનપત્ર આપ્યું હતું. લવજેહાદ મુદ્દે સમાજને જાગૃત કરવાની વાત આવતા હવે રાજકોટમાં સીદસર ઉમિયાધામના ચેરમેન જયરામ પટેલે પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સમાજની 6 ધાર્મિક સંસ્થાઓએ આ અંગે મંથન કર્યું છે.
લવમેરેજમાં માતા-પિતાની મંજૂરી હોવી જોઈએ
રાજ્યમાં લવજેહાદના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. જેમાં દીકરીઓને ટાર્ગેટ કરીને પ્રેમ જાળમાં ફસાવી તરછોડી દેવાના બનાવ બન્યા છે. લવજેહાદમાં ફસાવી માતા-પિતાને હેરાન કરવા, પ્રોપર્ટી પડાવી લેવાના કારસા રચાય છે. અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે. ત્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો. અને અન્ય સમાજના માતા-પિતાને પણ અલર્ટ કર્યા છે. હાલ તો સમાજમાં પણ મહિલાઓ આ વાતને સ્વીકારી રહી છે. અને પ્રેમલગ્ન સમયે માતા-પિતાની મંજૂરી હોવી જોઈએ એ વાત સ્વીકારી રહ્યા છે.. હાલ તો પાટીદાર સમાજ લવ જેહાદ મુદ્દે આગળ આવ્યો છે. અને આગમી દિવસોમાં અન્ય સમાજ પણ આ મુદ્દે કોઈ નિર્ણય લે તો નવાઈ નહીં.