મોરબીમાં બેરોજગાર યુવાને નોકરી મેળવવા જે રીત અપનાવી તે ખરેખર ચોંકાવનારી હતી, એક તો બેરોજગારીનો માર અને એમાં કોરોનાની મહામારીને કારણે નોકરી ધંધા ઠપ્પ થઈ જતા કેટલાય લોકો બેરોજગાર બન્યા છે.
મોરબી વાંકાનેરના પાર્સલ બોમ્બનો મામલો
પાર્સલ આપનાર આરોપીની ધરપકડ
જીતના નામ શખ્સની પોલીસે કરી ધરપકડ
મોરબીમાં બેરોજગારીથી કંટાળીને એક યુવાને એવું પગલું ભર્યુ જે જાણીને કોરોનાની મહામારીએ કેવી તારાજી સર્જી છે તેનો ચિતાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં યુવાનોના હાલ બેહાલ બન્યા છે.
ફેક્ટરીઓમા જોબ ન મળતા બોમ્બનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું
મોરબીના વાંકાનેર પાર્સલ બોંબનો મામલો સામે આવ્યો છે. પાર્સલ આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જીતના નામ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ જોઇ પાર્સલ બોબ બનાવ્યુ છે. ફેક્ટરીઓમા જોબ ન મળતા બોમ્બનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું હતુ.
મોરબીના વાંકાનેરના પાર્સલ બોમ્બનો મામલોઃ પાર્સલ આપનાર આરોપીની ધરપકડ કરાઇ, ફિલ્મ જોઇ પાર્સલ બોમ્બ બનાવ્યો હતો, ફેકટરીમાં જોબ ન મળતા બોમ્બનું નાટક કર્યું#MORBI#gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 9, 2021
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
8 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 685 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 250,598 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.05 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 9 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 892 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8149 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4335 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને તાપીમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.