ભાવનગરમાં પરસોત્તમ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, હું બોલતો નથી કરી બતાવું છું અને શક્તિસિંહ ગોહિલને કચ્છ જતું રહેવું પડ્યું હતું
પરસોત્તમ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન
'હું બોલતો નથી કરી બતાવું છું'
'શક્તિસિંહ ગોહિલે કચ્છ જતું રહેવું પડ્યું હતું'
વિધાનસભાની ચૂંટણીને લઈ દિનપ્રતિદિન રાજકીય ઘમાસાણ જામતો નજરે પડી રહ્યો છે. રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે અને જેને લઈ અવનવા નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં પરસોત્તમ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસીઓએ અમને ખૂબ પરેશાન કર્યા હતા. છેલ્લા 27 વર્ષમાં પહેલી વખત હું શક્તિસિંહ ગોહિલનું નામ જાહેરમાં લઉં છું. મારે જે કરવું હોય તે કરી બતાવું છું મારા કારણે શક્તિસિંહ ગોહિલે કચ્છ જતું રહેવું પડ્યું હતું.
પરસોત્તમ સોલંકીનું વિવાદાસ્પદ નિવેદન
ભાવનગરમાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે, તેમણે નિવેદન આપ્યું છે કે, હું ક્યારેય બોલતો નથી જે કરવાનું હોય એ કરી બતાવું છું પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે, શક્તિસિંહ ગોહિલે કચ્છ જતું રહેવું પડયું હતું તેમણે કહ્યું કે, ભૂતકાળમાં આ લોકોએ અમને ખૂબ પરેશાન કર્યા અને પરસોત્તમ સોલંકી મુંબઈથી આવ્યો એટલે તમારે ભાગી જવું પડ્યું તેમણે કહ્યું કે, 27 વર્ષમાં પહેલી વખત શક્તિસિંહનું નામ મેં જાહેરમાં લીધું છે તેમણે કહ્યું કે, મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે.
અમને બહુ હેરાન કર્યા:પરસોત્તમ સોલંકી
તેમણે કહ્યું કે, મને 27 વર્ષ રાજકારણમાં થઈ ગયા એક દાખલો બતાવો પરસોત્તમ સોલંકીએ કોઈનું ખોટું કર્યું હોય. તેમણે કહ્યું કે, એમણે અમને બહુ હેરાન કર્યા પરંતુ પરસોત્તમ સોલંકી અહીયા આવ્યા અને એમને ભાગવું પડ્યું તેમણે કહ્યું કે, તેમણે કહ્યું હું અહી નડી ગયો એટલે તમારે અહીંથી નીકળી કચ્છ જવું પડ્યું એમાં મારો શું વાંક તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી પહેલીવાર શક્તિસિંહનું નામ લીધું
પરસોત્તમ સોલંકી અગાઉ ભાવુક થયા હતા
ભાજપના ભાવનગર ગ્રામ્ય બેઠક પર પરસોત્તમ સોલંકીને ઉમેદવાર છે. પરસોત્તમ સોલંકીને ટિકિટ મળી હતી ત્યારે તેઓ ભાવુક થયાં હતા આ દરમિયાન તમણે જણાવ્યું હતું કે, ક્યારેય ફૂટ નીતિવાળું રાજકારણ કરતો નથી અને આવડતું પણ નથી તેમણે કહ્યું કે હતું, હું જે સતત પાંચ ટર્મથી જીતું છું તે લોકોનો પ્રેમ છે