મહારાષ્ટ્રમાં મુંબઈમાં પૂર્વ પોલીસ કમિશનરના લેટર બોમ્બ બાદ ગઠબંધન સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં સંકટમાં ઉદ્ધવ સરકાર
શિવસેના-NCPના સંબંધોમાં દૂરી
પરમવીર સિંહના લેટર બોમ્બથી ભાજપ આક્રમક
લેટર બોમ્બથી શિવસેના-એનસીપીમાં દૂરી વધી
પરમવીરના લેટર બોમ્બથી મહારાષ્ટ્ર સરકાર ખતરામાં છે કારણ કે પરમવીર સિંહના લેટર બોમ્બથી શિવસેના અને એનસીપી વચ્ચે દૂરી વધી ગઇ છે. લેટર બોમ્બના કારણે શિવસેના એનસીપી સાથે સંબંધોને લઇ વિચાર કરી રહી છે ત્યારે સામે ભાજપની શિવસેના સાથે ફરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની કોશિશ તેજ કરી દેવાઇ છે.
''હમકો તો બસ તલાશ નયે રાસ્તો કી હૈ...''
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉતનું શાયરાના ટ્વીટ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ''હમ હૈ મુસાફિર એસે જો મંજિલ સે આયે હૈ, હમકો તો બસ તલાશ નયે રાસ્તો કી હૈ...''. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં પણ હલચલ વચ્ચે આ નિવેદનની સોશ્યલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
આત્મમંથનની જરૂર : રાઉત
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં પણ હલચલ વચ્ચે રાઉતે એમ પણ કહ્યું છે કે બધા જ સહયોગી દળોએ આત્મમંથન કરવાની જરૂર છે. બધી જ પાર્ટીઑએ તપાસવું જોઈએ કે તેમના પગ જમીન પર છે કે નહીં. મેં પહેલા પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે પહેલાથી જ નજર રાખવી જોઈએ. કેટલાક અધિકારો પર નજર રાખવી જોઈએ. લોકો આ ઘટનાણે લેટર બોમ્બ કહી રહ્યા છે પણ તેમ જે કઈ પણ સત્ય છે તેની તપાસ ઠાકરે અને પવાર કરશે. અમારી સરકાર બરાબર કામ કરી રહી છે, બસ ચીજવસ્તુને ઠીક કરવાની જરૂર છે.
કોંગ્રેસ નેતાઑએ માંગ્યા રાજીનામાં
આ બધી હલચલ વચ્ચે કોંગ્રેસનો સ્ટેન્ડ હજુ સુધી સાફ નથી થયો. સંજય નિરુપમ કહી રહ્યા છે કે શરદ પવાર જવાબ આપે કારણ કે તે જ સરકારના આર્કિટેક્ટ છે. કોંગ્રેસના રશિદ અલવી કહી રહ્યા છે કે પરમબીર જ્યારે કમિશનર હતા ત્યારે આ ખુલાસા કેમ ન કર્યા? તેમણે વધુમાં કહ્યું કે દેશમુખે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. જેમના નામ સામે આવ્યા છે તેવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.
શરદ પવાર થયા એક્ટિવ
આ સાથે જ એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ એક્ટિવ થયા છે. શરદ પવાર દિલ્હીમાં છે અને તેઓએ એનસીપીના 2 મોટા નેતાઓને અહીં બોલાવ્યા છે. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલ પણ સામેલ થશે. તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવશે.
શું છે પરમવીરના લેટરમાં?
મુકેશ અંબાણી કેસમાં પરમવીર સિંહને પોલીસ કમિશનર પદેથી હટાવાઇ દેવાયા હતા અને પરમવીર સિંહના ટ્રાન્સફરને લઇ અનિલ દેશમુખે કહ્યું કે આ રૂટીન ટ્રાન્સફર નથી, તેઓએ કેટલીક ભૂલ કરી છે. ત્યારે હવે પરમવીરે ઉદ્ધવ સરકારને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાજેને બોલાવ્યા હતા. વાજેને મહિનાનું 100 કરોડનું કલેક્શન હોટલ, રેસ્ટોરાં, બીયર બાર સહિતની જગ્યાથી કરવા કહ્યું હતું. લેટરમાં પરમવીર સિંહએ દાવો કર્યો છે કે મુંબઇમાં 1750 બાર, રેસ્ટોરાં સહિતની જગ્યાઓ છે જ્યાંથી કલેક્શન થઇ શકે છે. અને આ વાત સચિન વાજેએ જ તેમને કહી હતી. અનિલ દેશમુખે ACP સંજય પાટીલ, DCP ભુજબલને પણ બોલાવ્યા હતા. અને ACP સંજય પાટીલ, DCP ભુજબલને 40થી 50 કરોડનું કલેક્શન કરવા કહ્યું હતું.
મોહન ડેલકરની હત્યાની તપાસ મુંબઇમાં કરાવા માગતા હતા અનિલ દેશમુખ
લેટરમાં મોહન ડેલકરની આત્મહત્યાની તપાસને લઇને પણ ખુલાસો કર્યો. તેઓએ કહ્યું કે મેં અનિલ દેશમુખને કહ્યું હતું કે, ડેલકર દાદરા નગર હવેલીના સાંસદ છે એટલે તપાસ તેમને કરવી જોઇએ. પણ અનિલ દેશમુખ મુંબઇમાં તપાસ કરાવા માગતા હતા. અનિલ દેશમુખે મારી વાત ન માની અને SITની ઘોષણા કરી દીધી. પરમવીરે લેટરમાં લખ્યું છે કે સચિન વાજેએ દબાવ બનાવી મુકેશ અંબાણીનો કેસ પોતાની પાસે રાખ્યો.