અનિલ દેશમુખના નામથી ઉદ્ધવ સરકાર સંકટમાં આવી છે અને વિપક્ષની તરફથી પણ તેમનું રાજીનામું માંગ્યું છે. આ સાથે જ એનસીપીના શરદ પવાર પણ એક્ટિવ થયા છે.
મહારાષ્ટ્રમાં સંકટમાં ઉદ્ધવ સરકાર
શિવસેના-NCPના સંબંધોમાં દૂરી
પરમવીર સિંહના લેટર બોમ્બથી ભાજપ આક્રમક
Letter from Param Bir Singh was received at 4:37 pm today via a different email address, not his official one & was without his signature. The new email address needs to be checked. Home Ministry is trying to contact him for the same: Chief Minister's Office, Maharashtra
પરમવીરના લેટર બોમ્બથી મહારાષ્ટ્ર સરકાર ખતરામાં છે. પરમવીર સિંહના લેટર બોમ્બથી શિવસેના અને એનસીપી વચ્ચે દૂરી વધી ગઇ છે. લેટર બોમ્બના કારણે શિવસેના એનસીપી સાથે સંબંધોને લઇ વિચાર કરી રહી છે. ત્યારે સામે ભાજપની શિવસેના સાથે ફરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની કોશિશ તેજ કરી દેવાઇ છે.
Maharashtra Deputy CM and NCP leader Ajit Pawar and Jayant Patil to meet NCP Chief Sharad Pawar in Delhi today
શરદ પવાર થયા એક્ટિવ
આ સાથે જ એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ એક્ટિવ થયા છે. શરદ પવાર દિલ્હીમાં છે અને તેઓએ એનસીપીના 2 મોટા નેતાઓને અહીં બોલાવ્યા છે. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલ પણ સામેલ થશે. તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવશે.
અનિલ દેશમુખનું નામ સામે આવતા ઉદ્ધવ સરકાર સંકટમાં
એનસીપી નેતાઓની વચ્ચે અનિલ દેશમુખના નામ પર લાગેલા આરોપને લઈને ચર્ચા કરાશે. અનિલ દેશમુખનું નામ આવતાં રાજ્યની ઉદ્ધવ સરકાર પર દબાણ વધ્યું છે વિપક્ષની તરફથી પણ દેશમુખની તપાસ કરવાની અને તેના રાજીનામાંની માંગ કરાઈ રહી છે.
Nagpur: Bharatiya Janata Party holds protest against Maharashtra Minister Anil Deshmukh
મુકેશ અંબાણી કેસમાં પરમવીર સિંહને પોલીસ કમિશનર પદેથી હટાવાઇ દેવાયા છે. અને પરમવીર સિંહના ટ્રાન્સફરને લઇ અનિલ દેશમુખે કહ્યું કે આ રૂટીન ટ્રાન્સફર નથી, તેઓએ કેટલીક ભૂલ કરી છે. ત્યારે હવે પરમવીરે ઉદ્ધવ સરકારને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાજેને બોલાવ્યા હતા. અને વાજેને મહિનાનું 100 કરોડનું કલેક્શન હોટલ, રેસ્ટોરાં, બીયર બાર સહિતની જગ્યાથી કરવા કહ્યું હતું. લેટરમાં પરમવીર સિંહએ દાવો કર્યો છે કે મુંબઇમાં 1750 બાર, રેસ્ટોરાં સહિતની જગ્યાઓ છે જ્યાંથી કલેક્શન થઇ શકે છે. અને આ વાત સચિન વાજેએ જ તેમને કહી હતી. અનિલ દેશમુખે ACP સંજય પાટીલ, DCP ભુજબલને પણ બોલાવ્યા હતા. અને ACP સંજય પાટીલ, DCP ભુજબલને 40થી 50 કરોડનું કલેક્શન કરવા કહ્યું હતું. લેટરમાં મોહન ડેલકરની આત્મહત્યાની તપાસને લઇને પણ ખુલાસો કર્યો. તેઓએ કહ્યું કે મેં અનિલ દેશમુખને કહ્યું હતું કે, ડેલકર દાદરા નગર હવેલીના સાંસદ છે એટલે તપાસ તેમને કરવી જોઇએ. પણ અનિલ દેશમુખ મુંબઇમાં તપાસ કરાવવા માગતા હતા. અને અનિલ દેશમુખે મારી વાત ન માની અને SITની ઘોષણા કરી દીધી. પરમવીરે લેટરમાં લખ્યું છે કે સચિન વાજેએ દબાવ બનાવી મુકેશ અંબાણીનો કેસ પોતાની પાસે રાખ્યો.